કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અને અત્યાર સુધીમાં 7 હજારથી પણ વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. અને 2 લાખથી વધારે લોકોને આ વાયરસ સંક્રમિત થયો છે. ત્યારે હવે ઈ-કોમર્સ કંપની એમેઝોન સંકટમાં મુકાઈ છે.
કોરોના વાયરસના કારણે એમેઝોન સંકટમાં
લોકોના ઓર્ડર પહોચાડવા માટે 1 લાખ કર્મચારીની જરૂર
ભારતમાં પણ કોરોના વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે
દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. અને આ વાયરસને કારણે 7 હજારથી વધારે લોકોની મોત થઈ ચુકી છે. અને 2 લાખથી વધારે લોકોને આ વાયરસ સંક્રમિત થયો છે.
ઘણાં દેશોમાં લોકડાઉનની સ્થિતિ આવી ગઈ છે. અને ઘણાં દેશોમાં સરકારે લોકોને ઘર બહાર ન નીકળવાની સલાહ આપી છે. અને એવામાં લોકો પોતાની જરૂરીયાતનો સામાન ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડરનો સહારો લઈ રહ્યાં છે.
આ પરિસ્થિતિ જોતાં ઈ-કોમર્સ કંપની એમેઝોને 1 લાખ લોકોને હાયર કરવાની યોજના બનાવી છે. અને એમેઝોને કહ્યું કે તેમની પાસે ખુબ મોટી સંખ્યામાં ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે.
આ ઓર્ડર પૂરો કરવા માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર પડશે. અને એવામાં અમે અમારા ગ્રાહક સુધી ઓર્ડર પહોચાડવા માટે 1 લાખ કર્મચારીને હાયર કરીએ છીએ. અને આ કર્મચારી એમેઝોનના વેયર હાઉસ અને ડિલીવરી માટે કામ કરશે.
એમેઝોનની માનીએ તો લોકો ઘરની બહાર નીકળવા નથી માંગતા માટે ઈ-કોમર્સ કંપનીનો સહારો લેવા માંગે છે. અને અપેક્ષા કરતા ઘણા વધારે ઓર્ડરો મળી રહ્યાં છે.
આ ઓર્ડરને પૂરો કરવા માટે એમેઝોન પાસે કર્મચારીની સંખ્યા ઓછી પડી રહી છે. અને એમેઝોન કર્મચારીને પ્રતિ કલાકે 2 ડોલરથી 15 ડોલર ચુકવે છે.
જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયામાં ભય ફેલાયેલો છે. જ્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે.