રાજ્યમાં નવરાત્રી મુદ્દે નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યું છે. આવો જાણીએ તેમણે શું કહ્યું?
નવરાત્રીને લઇ નીતિન પટેલનું નિવેદન
''સરકાર નવરાત્રીનું આયોજન નહીં કરે''
''ખાનગી આયોજકોને પણ પરવાનગી નથી''
કોરોનાની મહામારીમાં દુનિયાના સૌથી મોટા નૃત્યોત્સવનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે કે નહીં તે અંગે અવઢવ છે. એક તરફ કલાકારો અને આ ઉદ્યોગ સાથે જોડાએલા લોકોની રોજી રોટીનો પ્રશ્ન છે પણ સામે પક્ષે કોરના સંક્રમણ વધવાનો પણ ભય છે.
હાલ મહામારીના સમયમાં ગરબાનું આયોજન આ બેલ મુજે માર જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે ત્યારે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના નિવેદનમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી.
શું કહ્યું DYCM નીતિન પટેલે?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.