બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારી આંખોની રોશની ઘટી રહી છે? રોજની આ 3 ભૂલો પડી શકે છે ભારે
6 ફોટો ગેલેરી
Last Updated: 09:58 PM, 19 July 2026
1/6
આજના સમયમાં આપણો મોટાભાગનો સમય મોબાઈલ, લેપટોપ કે ટીવીની સ્ક્રીન સામે જ પસાર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી અમુક રોજિંદી આદતો તમારી આંખોને ભારે નુકસાન પહોંચાડી રહી છે? જેમાં હેલ્થ એક્સપર્ટ આંખોને નુકસાન કરતી ત્રણ મોટી ભૂલો વિશે જણાવ્યું છે જે લોકો અજાણતા કરતા રહે છે અને પોતાની આંખોની રોશનીને જોખમમાં મૂકે છે. આથી આજથી જ આ ભૂલો છોડી દેવી જોઈએ. ચાલો તેવી આંખોને નુકસાન કરતી આ 3 આદતો વિષે જાણીએ.
2/6
એક્સપર્ટ અનુસાર સૌથી મોટી ભૂલ છે રાત્રે લાઈટ બંધ કરીને અંધારામાં મોબાઈલ જોવાની છે. અંધારામાં તેજ બ્રાઈટનેસવાળી સ્ક્રીન જોવાથી બ્લુ લાઈટ સીધી આંખના રેટિના પર અસર કરે છે. તેનાથી આંખોમાં ડ્રાયનેસ, ધુંધલાપણું અને માથાનો દુખાવો થાય છે. લાંબા સમય સુધી આવું કરવાથી આંખોની રોશની ઝડપથી ઘટવાનો ખતરો વધી જાય છે.
3/6
આંખમાં હળવી ખંજવાટ કે થાક લાગે ત્યારે મોટાભાગના લોકો તરત જ આંખોને જોરથી મસળવા લાગે છે. આથી એક્સપર્ટ દ્વારા ચેતવણી અપાઈ છે કે આ ખૂબ જોખમી છે. આંખની ઉપરની પાતળી આવરણ (કોર્નિયા) ખૂબ નાજુક હોય છે. તેને જોરથી ઘસવાથી તેને ઇજા થઈ શકે છે, નસો ફાટી શકે છે અને હાથમાં રહેલા બેક્ટેરિયા આંખમાં જઈને ગંભીર ઇન્ફેક્શન કરી શકે છે.
4/6
ચશ્મા કે ફેશન માટે કોન્ટેક્ટ લેન્સ વાપરનારા લોકો મોટા ભાગે લેન્સ સાફ રાખવામાં બેદરકારી કરે છે કે એક્સપાયરી તારીખ બાદ પણ આંખના ડ્રોપ્સ કે પ્રોડક્ટ્સ વાપરતા રહે છે. ગંદા લેન્સ કે બગડેલા ડ્રોપ્સથી આંખમાં અલ્સર થઈ શકે છે. જેના કારણે કાયમ માટે આંખોની રોશની જતી રહેવાનો ભય રહે છે.
5/6
National Institutes of Healthની સ્ટડીમાં જણાવાયું છે કે ડિજિટલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ આંખના રેટિનાને નુકસાન પહોંચાડે છે અને ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. તો American Academy of Ophthalmologyના અભ્યાસ અનુસાર વારંવાર અને જોરથી આંખો ઘસવાથી કેરાટોકોનસ જેવી બીમારી થઈ શકે છે, જેમાં કોર્નિયાનો આકાર બગડે છે અને ચશ્માનો નંબર ઝડપથી વધે છે.
6/6
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
તમારા કામનું / વરસાદમાં ફોન પલળી ગયો? તો ભૂલથી પણ ન કરતા આ ભૂલો
ટોપ સ્ટોરીઝ