બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ 11 વર્ષ પછી પતિ સાહિલ સાંઘા સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે.
એક્ટ્રેસે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.
દિયા મિર્ઝાએ પોસ્ટમાં લખ્યુ છે કે, ''11 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા પછી અમે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે આગળ હંમેશા મિત્રો રહીશુ. અમે અમે અમારા પરિવાર અને મિત્રોનો આભાર માનીએ છીએ કે તેઓએ અમને સપોર્ટ કર્યો, અમને સમજ્યાં. ઉપરાંત મીડિયાના સભ્યોનો પણ આભાર કે તેમણે અમને સપોર્ટ કર્યો. અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે તમે અમારી ભાવનાને સમજીને આ સમયે અમને એકલા રહેવા દે. અમે આ બાબતે હવે આગળ બીજી કોઈપણ વાત નહીં ઉચ્ચારીએ. આભાર, દિયા મિર્ઝા અને સાહિલ સાંઘા.'' બંનેના અલગ થવા પાછળ કયું કારણ જવાબદાર છે તે માહિતી હજુ સુધી બહાર આવી નથી.
ઉલ્લેખનીય છે કે, દિયા મિર્ઝાએ 5 વર્ષ પહેલા 18 ઓક્ટોબરે દિલ્હીમાં બૉયફ્રેન્ડ સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્નની ફોટો દિયા મિર્ઝાએ પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. બંને એકબીજાને 11 વર્ષથી ઓળખે છે. દિયા અને સાહિલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય નજીકના મિત્રો શામેલ થયા હતા.
આ એક્સ કપલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો દિયા અને સાહિલ સાથે મળીને એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે, જેનું નામ ‘બોર્ન ફ્રી એન્ટરટેઇન્મેન્ટ’ છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ બંનેએ ‘બોબી જાસૂસ’ અને ‘લવ બ્રેકઅપ્સ ઝિંદગી’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી, જે બંને બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.