બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કયા લાકડાથી તૈયાર કરાય છે પ્રભુ જગન્નાથજીની મૂર્તિ? જેમાં આજેય ધબકે છે ભગવાનનું હ્રદય

રથયાત્રા 2025 / કયા લાકડાથી તૈયાર કરાય છે પ્રભુ જગન્નાથજીની મૂર્તિ? જેમાં આજેય ધબકે છે ભગવાનનું હ્રદય

Published By: Vidhata Gothi

Last Updated: 08:30 AM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jagannath Rath Yatra 2025: ઓડિશાના જગન્નાથ પૂરી મંદિરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. અહીં જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે ભગવાન જગન્નાથની મૂર્તિ બદલવામાં આવે છે, જેને નવકલેવર કહેવામાં આવે છે. ચાલો જાણીએ આ વિધિ વિશે વિગતવાર.

Jagannath Puri Rath Yatra 2025: ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં 27 જૂને અષાઢ શુક્લ પક્ષના બીજ તિથિએ રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવે છે. આ પ્રસંગે, આજે જાણીએ જગન્નાથ મંદિરની એક અનોખી પરંપરા અને તેની સાથે જોડાયેલા રહસ્ય વિશે.

jagarnath-puri-2

અહીં ભગવાન જગન્નાથની મૂર્તિ દર 12 વર્ષે બદલવામાં આવે છે, જ્યારે અષાઢના બે મહિના હોય છે. ક્યારેક અષાઢના અધિક માસ આવવામાં વધારે સમય લાગી જાય છે. ત્યારે આ વિધિમાં પણ વિલંબ થાય છે. આ પરંપરાને નવકલેવર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ શબ્દ પોતે જ કહે છે કે હવે ભગવાનનું એક નવું કલેવર અથવા નવું સ્વરૂપ જોવા મળશે. આ સાથે, બ્રહ્મ પદાર્થને ગુપ્ત પ્રક્રિયા સાથે કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે, જેના કારણે ભગવાન જગન્નાથનું હૃદય ધબકતું રહે છે. ચાલો જાણીએ વિગતવાર...

rath-yatra-1

ધાતુ કે પથ્થરની બનેલી નથી બનતી મૂર્તિઓ

સામાન્ય રીતે, તમે જે પણ મંદિરમાં જાઓ છો, ત્યાં તમને ધાતુ કે પથ્થરની બનેલી મૂર્તિઓ જોવા મળશે. પરંતુ, ઓડિશાના પુરીમાં સ્થિત રહસ્યમય જગન્નાથ મંદિરમાં, ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ લાકડાની બનેલી હોય છે. સમય સાથે મૂર્તિઓ ખરાબ ન થાય એ માટે દર 12 વર્ષે તેમને બદલી નાખવામાં આવે છે. એનાથી આ મૂર્તિઓની દિવ્યતા અને અખંડિતતા જાળવી રાખે છે, તે જીવન ચક્ર, પરિવર્તન અને નવીકરણનું પણ પ્રતીક છે, જે કહે છે કે પરિવર્તન જ સ્થિર છે.

લીમડાના લાકડાની બનેલી છે મૂર્તિઓ

ભગવાનની મૂર્તિઓ લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે, જે મુખ્ય પૂજારી દ્વારા પસંદ કરવામાં આવે છે. પરંતુ, તેની શરત એ હોય છે કે આ વૃક્ષ 100 વર્ષ જૂનું અને દોષ રહિત હોવું જોઈએ.

Vtv App Promotion 2

મૂર્તિ બદલતી વખતે, જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ભગવાનનું હૃદય છે, જે તેમના દેહ છોડ્યા પછી કરવામાં આવેલા અંતિમ સંસ્કારમાં બચી ગયું હતું. આ હૃદય હજુ પણ ભગવાન જગન્નાથની મૂર્તિઓમાં ધબકી રહ્યું છે.

આ પણ વાંચો: આજે ભગવાન જગન્નાથની દિવ્ય રથયાત્રા, જાણો રથને ખેંચનાર ત્રણ દોરડાઓના પણ છે વિશેષ નામ અને મહત્ત્વ

ગુપ્ત રીતે કરવામાં આવે છે આ વિધિ

જ્યારે આ વિધિ કરવામાં આવે છે, ત્યારે આખા શહેરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, ત્યારે પુજારી પોતાની આંખો પર પાટા બાંધી લે છે. એવું કહેવાય છે કે તેમને આ બ્રહ્મ પદાર્થ ધબકતો અનુભવાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Puri Rath Yatra 2025 Jagannath Puri Navakalevara Ritual Dharma News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ