ગુરૂવારને દિવસે નીચે જણાવેલા ઉપાય કરશો તો તમારા ઘરે રૂપિયાની રેલમછેલ તો થશે જ સાથે સાથે જે વિવાહ વાંચ્છુકોના લગ્ન નથી થતા તેમના વિવાહ પણ થશે.
ગુરૂ ગ્રહને ધન, વિદ્યા અને વૈવાહિક તેમજ સંતાનો માટે કારક માનવામાં આવશે. એટલે તમારો આ ગ્રહ જેટલો મજબૂત હશે તમારૂં ભાગ્ય પણ એટલુ જુ ખેલી ઉઠશે.
આ કરવાથી લગ્ન ઝટપટ થઈ જશે
ગુરૂવારને દિવસે ઉપવાસ કરો અથવા વ્રત કરો. એટલે કે નીશ્ચીત કરેલ વિધિ-વિધાનને 21 ગુરુવાર સુધી પાળવાથી ભલભલા દરિદ્રનો પણ બેડો પાર થાય છે જો તમારા લગ્ન ન થતા હોય તો. ગુરુવારનું વ્રત કરો. કેળાના છોડને જળ ચઢાવી તેની પૂજા-અર્ચના કરો. આવું કરવાથી તમારા વિવાહ જલદી થશે. કોઈ અવરોધ હશે તો દૂર થઈ જશે.
વિવાહમાં થતા વાદ-વિવાદ અને કલહ કંકાસને પણ ટાળશે
કુંડળીમાં ગુરૂ દોષ હોય તો ગુરૂવારને દિવસે તમે સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના જરૂર કરો અને વિષ્ણુ સ્હસ્ત્રનામનો પાઠ પણ કરો. આનાથી તમારા વિવાહની અડચણો તો દૂર થશે જ પણ જો તમે વિવાહીત છો તો તમારા વિવાહમાં થતા વાદ-વિવાદ અને કલહ કંકાસને પણ ટાળશે.
ગુરૂવારનું વ્રત કરો
બૃહસ્પતિ દેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે વિશેષ રૂપથી બૃહસ્પતિ દેવની મૂર્તિને વિધિવિધાનથી કોઈ પીળા વસ્ત્ર પર સ્થાપિત કરો. પછી ચંદન અને પીળા ફુલથી તેમની પૂજા અર્ચના કરો. આ સાથે જ પ્રસાદમાં ચણાની દાળ અને ગોળ ચઢાવો.ગુરૂવારના દિવસે પીળા વસ્ત્ર પહેરવા ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે આવુ કરો છો તો આ ઉપાય તમારો ભાગ્યોદય કરી શકે છે. બૃહસ્પતિ દેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરૂવારના દિવસે કોઈ વડીલ બ્રાહ્મણને ભોજન જરૂર કરાવો અને તેમના આશીર્વાદ લો.