બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Devotees in Tirupati temple experience like VIP darshan because of Corona, find out why

આસ્થા / કોરોનાને કારણે તિરુપતિ મંદિરમાં ભક્તો VIP દર્શન જેવો અનુભવ, જાણો કેમ

Published By: Ravi

Last Updated: 03:41 PM, 1 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિરુમાલા મંદિરમાં ૮ જૂનથી ૧૦ જૂન સુધી રોજ ૬,૦૦૦થી વધુ ટ્રસ્ટ કર્મચારીઓ અને સ્થાનિક લોકો સાથે કરાયેલ દર્શનના ટ્રાયલ બાદ ૧૧ જૂનથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે દર્શન ખોલી દેવાયાં છે. ત્યારબાદ રોજ આ સંખ્યા વધતી ગઇ.

જૂનના અંત સુધીમાં આ સંખ્યા વધીને ૧૨,૦૦૦ થઇ ચૂકી છે. પહેલાં આટલા શ્રદ્ધાળુઓ ફક્ત બે કલાકમાં દર્શન કરતા હતા. ખાસ વાત એ છે કે તિરુમાલા પહાડી, જ્યાં વેંકટેશ બાલાજીનું મંદિર છે, જ્યાં એક પણ કોરોના દર્દી નથી અને તે ગ્રીન ઝોન છે. 

 

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના ધર્મા રેડ્ડીના જણાવ્યા મુજબ તિરુમાલા આવવા માટે લગભગ ૨૦ કિમી પહેલાં તિરુપતિના અલીપિરી ટોલ ગેટથી આગળ કોઇ ત્યારે જ જઇ શકે છે, જેની પાસે વિશેષ દર્શન, સર્વદર્શનમની ઓનલાઇન બુક કરેલી ટિકિટ હોય. ટોલ ગેટ પર થર્મલ સ્કેનિંગ દરમિયાન કોઇ શ્રદ્ધાળુમાં લક્ષણ જોવા મળે તો તેને ત્યાં જ રોકી દેવામાં આવે છે. ગેસ્ટ હાઉસમાં રોકાનાર શ્રદ્ધળુઓએ ૨૪ કલાકમાં રૂમ ખાલી કરવો પડે છે. એક ફાયદો એ પણ થયો છે કે ભીડ ન હોવાના કારણે ભક્તો સરળતાથી દર્શન કરી શકે છે. સામાન્ય દર્શનાર્થીઓને વીઆઇપી દર્શન જેવો માહોલ લાગે છે. સામાન્ય દિવસોમાં કમસે કમ ૫૦ પૂજારી હાજર હોય છે, જ્યારે અત્યારે માત્ર ૧૫ પૂજારી જ હાજર હતા. 

તિરુપતિમાં ૮૦૦થી વધુ નાની-મોટી હોટલ, લોજ અને ગેસ્ટ હાઉસ છે, પરંતુ કન્ટેન્મેન્ટ ઝોનમાં હોવાના કારણે ૯૦ ટકાથી વધુ બંધ છે. તિરુપતિમાં લગભગ ત્રણ હજાર ટેક્સી છે, તેમાંથી મોટા ભાગના લોકોનો ધંધો ઠપ 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Tirumala Tirupati lockdown coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ