બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / daily digital transactions worth Rs 20,000 crore by bhim upi says pm modi in mann ki baat

મન કી બાત / ટેક્નોલોજીએ બદલી નાખી જિંદગી! BHIM UPI થી થાય છે રોજના 20 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન: PM મોદી

Mayur

Last Updated: 12:33 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ MANN KI BAAT નો 88 મો એપિસોડ હતો જેમાં તેમણે કેટલીક મહત્વની વાતો કરી હતી.

  • MANN KI BAAT નો 88 મો એપિસોડ 
  • PM મોદીએ કરી ટેક્નોલોજીથી પરિવર્તન વિશે વાત 
  • રોજના 20 કરોડના ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ છે.

"મન કી બાત" એ વડાપ્રધાનનું માસિક રેડિયો સંબોધન છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. એક અઠવાડિયા પહેલા, ગયા રવિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના છેલ્લા એપિસોડ પર આધારિત એક મેગેઝિન શેર કર્યું હતું. વડાપ્રધાને લોકોને આજે તેમના રેડિયો સંબોધનમાં ભાગ લેવા પણ કહ્યું હતું. આવો, જાણીએ આજે ​​તેમણે શું કહ્યું.

પીએમ મ્યુઝિયમની વાત 

PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે દેશને નવું મ્યુઝિયમ મળ્યું છે. પીએમ મ્યુઝિયમમાંથી વડાપ્રધાનો સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મળી રહી છે. આનાથી લોકોમાં ઈતિહાસ વિશેનો રસ વધ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે pm સંગ્રહાલયને લઈને સૌથી વધારે પત્ર મળ્યા છે. 

બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર સંગ્રહાલયનું લોકાર્પણ થયું તે મોટી વાત છે એવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે લોકો હોંશે હોંશે સંગ્રહાલયોને ભેટ અને દાન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે રજાઓમાં તમે પણ મિત્રો સાથે સંગ્રહાલય જરૂર જઈ આવજો. કોવિડ મહામારી બાદ ડીજિટલાઈઝેશન પર ખાસ જોર આપવામાં આવ્યું છે. 

દેશમાં દરેક જિલ્લામાં 75 જળાશય બનશે

આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ તો એની ઉજવણી સ્વરૂપે દરેક જિલ્લામાં 75 જળાશયો બનાવવામાં આવશે એવું પણ PM મોદી બોલ્યા હતા. 

ટેક્નોલોજીથી સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન 

પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે ટેક્નોલોજીની શક્તિ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે, તે આપણે આપણી આસપાસ સતત જોઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં, BHIM UPI ઝડપથી આપણી અર્થવ્યવસ્થા અને આદતોનો એક ભાગ બની ગયું છે. હવે નાના શહેરો અને મોટાભાગના ગામડાઓમાં પણ લોકો UPI દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે પાણીની ઉપલબ્ધતા અને પાણીની અછત, તે કોઈપણ દેશની પ્રગતિ અને ગતિ નક્કી કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે 'મન કી બાત' માં, સ્વચ્છતા જેવા વિષયો સાથે, હું ચોક્કસપણે પાણી સંરક્ષણ વિશે વારંવાર વાત કરું છું.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Narendra Modi pm modi mann ki baat મન કી બાત PM Modi Mann Ki Baat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ