આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ MANN KI BAAT નો 88 મો એપિસોડ હતો જેમાં તેમણે કેટલીક મહત્વની વાતો કરી હતી.
MANN KI BAAT નો 88 મો એપિસોડ
PM મોદીએ કરી ટેક્નોલોજીથી પરિવર્તન વિશે વાત
રોજના 20 કરોડના ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ છે.
"મન કી બાત" એ વડાપ્રધાનનું માસિક રેડિયો સંબોધન છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. એક અઠવાડિયા પહેલા, ગયા રવિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના છેલ્લા એપિસોડ પર આધારિત એક મેગેઝિન શેર કર્યું હતું. વડાપ્રધાને લોકોને આજે તેમના રેડિયો સંબોધનમાં ભાગ લેવા પણ કહ્યું હતું. આવો, જાણીએ આજે તેમણે શું કહ્યું.
પીએમ મ્યુઝિયમની વાત
PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે દેશને નવું મ્યુઝિયમ મળ્યું છે. પીએમ મ્યુઝિયમમાંથી વડાપ્રધાનો સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મળી રહી છે. આનાથી લોકોમાં ઈતિહાસ વિશેનો રસ વધ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે pm સંગ્રહાલયને લઈને સૌથી વધારે પત્ર મળ્યા છે.
બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર સંગ્રહાલયનું લોકાર્પણ થયું તે મોટી વાત છે એવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે લોકો હોંશે હોંશે સંગ્રહાલયોને ભેટ અને દાન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે રજાઓમાં તમે પણ મિત્રો સાથે સંગ્રહાલય જરૂર જઈ આવજો. કોવિડ મહામારી બાદ ડીજિટલાઈઝેશન પર ખાસ જોર આપવામાં આવ્યું છે.
દેશમાં દરેક જિલ્લામાં 75 જળાશય બનશે
આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ તો એની ઉજવણી સ્વરૂપે દરેક જિલ્લામાં 75 જળાશયો બનાવવામાં આવશે એવું પણ PM મોદી બોલ્યા હતા.
People should go for 'Cashless Dayout', now even in small villages & town people are using UPI. It's benefitting both shopkeepers & customers. Online payments are developing a digital economy, everyday Rs.20,000 Cr online transactions are taking place: PM Modi during Mann Ki Baat pic.twitter.com/C7ld1jRGqi
પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે ટેક્નોલોજીની શક્તિ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે, તે આપણે આપણી આસપાસ સતત જોઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં, BHIM UPI ઝડપથી આપણી અર્થવ્યવસ્થા અને આદતોનો એક ભાગ બની ગયું છે. હવે નાના શહેરો અને મોટાભાગના ગામડાઓમાં પણ લોકો UPI દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે.
अब छोटे गांवों और कस्बों में भी लोग UPI का उपयोग कर रहे हैं। इससे दुकानदारों और ग्राहकों दोनों को फायदा हो रहा है। ऑनलाइन भुगतान एक डिजिटल अर्थव्यवस्था विकसित कर रहा है, रोज़ाना 20,000 करोड़ रुपए का ऑनलाइन लेनदेन किया जा रहा है: मन की बात के दौरान PM pic.twitter.com/DPZ7lRwEou
પીએમ મોદીએ કહ્યું કે પાણીની ઉપલબ્ધતા અને પાણીની અછત, તે કોઈપણ દેશની પ્રગતિ અને ગતિ નક્કી કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે 'મન કી બાત' માં, સ્વચ્છતા જેવા વિષયો સાથે, હું ચોક્કસપણે પાણી સંરક્ષણ વિશે વારંવાર વાત કરું છું.