બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biparjoy is likely to hit the coast on June 15

સાચવજો / વાવાઝોડું હવે દ્વારકાથી 300 કિમી જ દૂર: માંડવી-કરાચી વચ્ચે આફત બની ત્રાટકશે, 16 જૂન ભારે વરસાદ

Dinesh Chaudhary

Last Updated: 12:14 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતાઓ, કચ્છના જખૌ અને નારાયણ સરોવરની આસપાસ વાવાઝોડું લેન્ડ ફોલ કરી શકે છે

  • બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ 
  • બિપરજોય વાવાઝોડું 15 જૂને દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતા
  • કચ્છના જખૌ અને નારાયણ સરોવરની આસપાસ વાવાઝોડું કરી શકે લેન્ડ ફોલ


ભયંકર બિપોરજોય વાવાઝોડું ઉત્તર તરફ આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.  આ ચક્રવાતને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે, બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

14 જૂનથી વાવાઝોડાની ગતિ ઓછી થવાની સંભાવના 
કચ્છના જખૌ અને નારાયણ સરોવરની આસપાસ વાવાઝોડું લેન્ડ ફોલ કરી શકે છે તેમજ 15 જૂને રાત્રે પાકિસ્તાનના કરાંચી અને જખૌ વચ્ચે ટકરાશે. 14 જૂને બિપરજોય દ્રારકાના દરિયામાં સ્થિર જોવા મળશે અને દ્વારકાથી 300 કિમી દૂર દરિયામાં વાવાઝોડું થોડા સમય માટે સ્થિર થશે. વિગતો મુજબ મંગળવારે સાંજે દ્વારકાથી 300 કિમી દૂર જમણી તરફ વાવાઝોડું કચ્છ તરફ વળાંક લેશે અને 14 જૂનથી વાવાઝોડાની ગતિ ઓછી થવાની સંભાવના છે. મંગળવારે વાવાઝોડની ગતિ અતિભારેથી ભારેમાં પરિવર્તિત થશે અને મંગળવારે સાંજે બિપરજોયની ગતિ 140 કિમી પ્રતિ કલાકની થાય તેવી શક્યતાઓ છે.  બિપરજોય કચ્છમાં જમીન તરફ આવશે ત્યારે ગતિમાં ઘટાડો થવાની સંભાવના છે. કચ્છના જખૌમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિપરજોયની રાજસ્થાનના જોધપુર સુધી અસર જોવા મળશે. 

મોરબી અને દ્વારકામાં 9 નંબરનું સિગ્નલ
મોરબી જિલ્લાના નવલખી બંદરે 9 નંબરનું સિગ્નલ મુકવા આદેશ આપવામાં આવ્યો છે.ગઈકાલ સુધી નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ હતું આજે સંભવીત વાવાઝોડાની અસરને લઇ સિગ્નલ બદલી 9 નંબરનું કરાયું છે. લોકોને સુરક્ષિત સ્થળે જવા તેમજ માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.  આ સિવાય દ્વારકા જિલ્લાના ઓખા,સલાયા,વાડીનાર બંદર પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો બીજી તરફ બંદર પર લંગારેલી તમામ બોટોને સલામત સ્થળે રાખવા, માછીમારોને દરિયો ન ખેડવા, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં 3 નંબરનું સિગ્નલ
બિરોપજોય વાવાઝોડાની વધી રહેલી અસરને જોતાં દક્ષિણ ગુજરાતના તમામ બંદોર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.  અમરેલીનાં જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવાયું.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy Gujarat News cyclone news cyclone warning બિપોરજોય વાવાઝોડું બિપોરજોયનું સંકટ Cyclone Biparjoy
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ