બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Dharmishtha
Last Updated: 03:24 PM, 20 March 2020
દેશ ભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે 219 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રના છે. દર્દીની વધતી સંખ્યાને જોતા મહારાષ્ટ્ર સરકારના 4 શહેરોને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે જરુરી ચીજ વસ્તુઓની દુકાન અને સેવાને છોડીને તમામ ઓફિસો 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં 52 કેસ સામે આવ્યા છે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે મુંબઈ, પૂર્ણ, પિંપરી, નાગપુર અને એમએમઆર રિઝનને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 52 કેસ સામે આવ્યા છે.
આ દુકાનો ખુલ્લી રહેશે
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, નાગપુર, પુણે અને પિંપરીને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ કરિયાણાની દુકાનો તથા દવાની દુકાનો તથા મેડિકલ શોપ ખુલ્લી રહેશે. આ ઉપરાંત જરુરી સેવાઓ ચાલુ રખાશે. જોકે સરકારે કહ્યું છે કે પેનિક ન થાવ, 31 માર્ચ સુધી બિન જરુરી સામાન અને દારુની દુકાનો, માલ સહિત તમામ જગ્યાઓ બંધ રહેશે.
આઠમાં સુધીની પરિક્ષાઓ રદ્દ
મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે એક સાથે 8મા સુધીની પરિક્ષા રદ કરવામાં આવી. 10અને 12ની પરિક્ષાઓ થશે. પરંતુ 9 અને 11 પરિક્ષાને 15 એપ્રિલ સુધી ટાળી દેવાશે. મદદ માટે બોલીવુડ આગળ આવ્યું છે તેમજ રોહિત શેટ્ટીએ ફોન કર્યો અને એક જાગૃરુક્તા માટે ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે.
ટ્રેન અને બસ બંધ નહી થાય, સરકારી ઓફિસ ખુલ્લી રહેશે
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હાલમાં બસ અને ટ્રેન બંધ કરવામાં નથી આવી. સરકારી ઓફિસો સંપૂર્ણ રીતે બંધ કરવામાં નથી આવ્યા. પરંતુ અહીં 25 ટકા હાજરી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT