અમદાવાદમાં કોરનાના તાંડવને કારણે હવે વધુ 12 હોસ્પિટલોને COVID 19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં પણ કોરોનાનો ઈલાજ થઈ શકશે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે 363 લોકોના મોત થઈ ચુકયા છે.
અમદાવાદમાં 5540 કેસ 363ના મોત
ગુજરાતમાં સૌથી વઘુ કેસ અમદાવાદમાં
અમદાવાદમાં વધુ 12 હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલો કરાઇ જાહેર
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સૌથી વધારે છે. ત્યારે અમદાવાદમાં વધુ 12 હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલો તરીકે જાહેર કરવામાં આવી છે
નવરંગપુરાની શ્રેયા હોસ્પિટલ, નિધી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, અને સોલર હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાઈ છે. તો સિંધુભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલ, પાલડીમાં AIMS હોસ્પિટલ, નરોડામાં રૂદ્રાક્ષ હોસ્પિટલ, સૈજપુર ટાવર પાસે કર્ણાવતી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને ઈસનપુરની રતન હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરાઈ છે. જ્યારે વસ્ત્રાલની સ્પંદન હોસ્પિટલ, ગુજરાત કોલેજ પાસે સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ, બોપલની સરસ્વતી હોસ્પિટલ અને બોપલ ICU એન્ડ ટ્રોમા સેન્ટર કોરોનાની સારવાર કરશે.
કઇ હોસ્પિટલને કોવિડ-19 જાહેર કરાઇ ?
નવરંગપુરાની શ્રેયા હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ જાહેર