બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Controversial statement of Morari Bapu about swaminarayan sampraday

વિવાદ / મોરારીબાપુએ નીલકંઠવર્ણી પર કટાક્ષ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ

Published By: Vishal

Last Updated: 11:28 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કથાકાર મોરારીબાપુના નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. મોરારીબાપુએ એક કથા દરમિયાન આડકતરી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરતા નીલકંઠ અને નિલકંઠવર્ણી અંગે નિવેદન કર્યું હતું.

જેમાં મોરારીબાપુએ કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય.

જોકે મોરારીબાપુના આ નિવેદનથી સાધુ સંતો અને સ્વામિનારાયણના સાધુ સંતોમાં રોષની લાગણી ફેલાય છે. મોરારીબાપુના આ શબ્દોથી હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે.

આ નિવેદન પર સ્વામીનારાયણના સંતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ વનમાં જમાડ્યા હતા. માર્કંડ ઋષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમયે આવી તેમના ચાર નામ પાડ્યા હતા.

વિધાનસભામાં મોરારીબાપુના રાશનકાર્ડનો મુદ્દો ઉછળ્યો હતો

હજુ બે મહિના પહેલા જ મોરારીબાપુના રાશન કાર્ડ મુદ્દે વિધાનસભામાં વિવાદ સર્જાયો હતો. વિધાનસભા સત્રમાં મોરારી બાપુના નામે સસ્તા અનાજનો પુરવઠો મેળવવાના મામલે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. વિશ્વવિખ્યાત સંત મોરારીબાપુની ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ કરીને સસ્તું અનાજ મેળવવામાં આવ્યું હોવાની ઘટનાને લઈ ગુજરાત વિધાનસભાનું ગૃહ ગુંજી ઉઠ્યું હતું. ફિંગરપ્રિન્ટનો દૂર ઉપયોગ થયાની ઘટના જૂની છે પરંતુ આજે આ મુદ્દો વિધાનસભામાં ખૂબ ગુંજ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Swaminarayn gujarat morari bapu નિવેદન મોરારીબાપુ સ્વામિનારાયણ Dispute

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ