બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming figs provides relief from these diseases
Pooja Khunti
Last Updated: 09:14 AM, 28 February 2024
ડ્રાઈ ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દરેક લોકો બદામ, કાજુ અને કિસમિસના ફાયદાઓ વિશે તો જાણતા જ હશે. આ બધા ખરાબ સ્વાસ્થ્યને સારું કરવાનું કામ કરે છે. આ સાથે હજુ એક ડ્રાઈ ફ્રૂટ છે, જે ખૂબ જ ગુણકારી છે. અહીં વાત અંજીરની થઈ રહી છે. અંજીર એક ફળ છે, જેનું સેવન ફળ અને ડ્રાઈ ફ્રૂટ બંને રીતે કરવામાં આવે છે. અંજીરના ઝાડ અરેબિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ થાય છે. ભારતમાં અંજીર કશ્મીરમાં થાય છે. અંજીરના સેવનથી પિત્ત રોગ દૂર થાય છે. આ સાથે અંજીર પેટ, હ્રદય અને મગજ માટે પણ ફાયદાકારક છે.
અંજીરના સેવનથી આ બીમારીઓથી રાહત મળે છે
હ્રદય રોગ
અંજીરમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે હ્રદય રોગને દૂર રાખવાનું કામ કરે છે.
હાડકાં
જે જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, તે જ જગ્યાએ અંજીર સૌથી વધુ થાય છે. આ કારણે અંજીરમાં પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. અંજીર હાડકાનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે હાડકાને મજબૂત કરે છે અને સાંધાઓને સ્વસ્થ રાખે છે.
બ્લડ સુગર
અંજીરમાં પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યારેક થોડા પ્રમાણમાં અંજીરનું સેવન કરી શકે છે.
વાંચવા જેવું: એક-બે નહીં, 100 બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે આ પાન, રોજ સેવન કરવાથી થશે અનેક ફાયદા
કબજિયાત
અંજીરમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે.
સફેદ ડાઘ
જે લોકોને ત્વચા પર સફેદ ડાઘ હોય, તેમણે તે ડાઘ પર અંજીરના પાનનો રસ લગાવવો જોઈએ.
વજન વધારે છે
જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ તેમનો વજન વધારવા ઇચ્છતા હોય તો તેમણે 2 મહિના સુધી દરરોજ સવારે અંજીર અને વરીયાળીનું સેવન કરવું જોઈએ.
આ રીતે કરો અંજીરનું સેવન
દરરોજ 2 થી 3 અંજીરને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ઉકાળીને અડધું કરી લો. હવે આ પાણીનું સેવન કરો અને અંજીરને પણ ખાઓ. એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 2 થી 3 અંજીરનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime