બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming figs provides relief from these diseases

આરોગ્ય ટિપ્સ / રોજ સવારમાં ખાલી પેટ પીઓ આ પાણી, સ્વાસ્થ્ય રહેશે હેલ્ધી અને ફિટ, જાણો સેવનની રીત

Pooja Khunti

Last Updated: 09:14 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંજીર એક ફળ છે, જેનું સેવન ફળ અને ડ્રાઈ ફ્રૂટ બંને રીતે કરવામાં આવે છે. અંજીરના ઝાડ અરેબિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ થાય છે. ભારતમાં અંજીર કશ્મીરમાં થાય છે.

ડ્રાઈ ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દરેક લોકો બદામ, કાજુ અને કિસમિસના ફાયદાઓ વિશે તો જાણતા જ હશે. આ બધા ખરાબ સ્વાસ્થ્યને સારું કરવાનું કામ કરે છે. આ સાથે હજુ એક ડ્રાઈ ફ્રૂટ છે, જે ખૂબ જ ગુણકારી છે. અહીં વાત અંજીરની થઈ રહી છે. અંજીર એક ફળ છે, જેનું સેવન ફળ અને ડ્રાઈ ફ્રૂટ બંને રીતે કરવામાં આવે છે. અંજીરના ઝાડ અરેબિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ થાય છે. ભારતમાં અંજીર કશ્મીરમાં થાય છે. અંજીરના સેવનથી પિત્ત રોગ દૂર થાય છે. આ સાથે અંજીર પેટ, હ્રદય અને મગજ માટે પણ ફાયદાકારક છે. 

અંજીરના સેવનથી આ બીમારીઓથી રાહત મળે છે 

હ્રદય રોગ 
અંજીરમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે હ્રદય રોગને દૂર રાખવાનું કામ કરે છે. 

હાડકાં 
જે જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, તે જ જગ્યાએ અંજીર સૌથી વધુ થાય છે. આ કારણે અંજીરમાં પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. અંજીર હાડકાનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે હાડકાને મજબૂત કરે છે અને સાંધાઓને સ્વસ્થ રાખે છે. 

બ્લડ સુગર 
અંજીરમાં પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યારેક થોડા પ્રમાણમાં અંજીરનું સેવન કરી શકે છે. 

વાંચવા જેવું: એક-બે નહીં, 100 બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે આ પાન, રોજ સેવન કરવાથી થશે અનેક ફાયદા

કબજિયાત 
અંજીરમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે. 

સફેદ ડાઘ 
જે લોકોને ત્વચા પર સફેદ ડાઘ હોય, તેમણે તે ડાઘ પર અંજીરના પાનનો રસ લગાવવો જોઈએ. 

વજન વધારે છે 
જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ તેમનો વજન વધારવા ઇચ્છતા હોય તો તેમણે 2 મહિના સુધી દરરોજ સવારે અંજીર અને વરીયાળીનું સેવન કરવું જોઈએ. 

આ રીતે કરો અંજીરનું સેવન 
દરરોજ 2 થી 3 અંજીરને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ઉકાળીને અડધું કરી લો. હવે આ પાણીનું સેવન કરો અને અંજીરને પણ ખાઓ. એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 2 થી 3 અંજીરનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ