બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know what problems are cured by using Tulsi leaves
Pooja Khunti
Last Updated: 08:58 AM, 27 February 2024
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે. તુલસી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ છોડ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીના પાનનો ઉપયોગ કેટલીક બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તમે તણાવથી છુટકારો મેળવવા માટે પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. જાણો તુલસીના પાનના ઉપયોગથી કઈ સમસ્યાઓ દૂર થાય છે.
તુલસીના પાન અને મધ
તુલસીના પાન બાળકોની શરદી, ઉધરસ અને ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે ઉપયોગી થાય છે. તમે તુલસીના પાન સાથે મધનો પણ ઉપયોગ કરી શકો છો. એક ચમચી તુલસીના પાનનાં રસમાં એક ચમચી મધ ઉમેરી તેનું સેવન કરો.
તુલસીના પાનને ચાવવા જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ તમારે ખાલી પેટ તુલસીના પાન ચાવવા જોઈએ. દરરોજ 2 થી 3 વાર આવું કરો. દરરોજ નિયમિત રીતે આવું કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થશે.
તુલસીની ચાનું સેવન કરો
તમે તુલસીના પાનની ચા બનાવી શકો છો. તમે દૂધવાળી ચામાં પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો અને હર્બલ ટી માટે પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો.
તુલસીના પાનનો ઉકાળો
સ્વાસ્થ્ય માટે તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તમે તુલસીના પાનનો ઉકાળો બનાવી તેનું સેવન કરી શકો છો. તુલસીના પાનનો ઉકાળો બનાવવા માટે 1 કપ પાણીમાં 10-12 તુલસીના પાન અને થોડું આદું છીણી ઉમેરો. હવે આ પાણીને 5-7 મિનિટ સુધી ઉકાળો. હવે તમારો ઉકાળો તૈયાર છે.
વાંચવા જેવું: ક્રિતિ સેનન, રકુલ પ્રીતથી લઇને અનેક એક્ટ્રેસ ડ્રીંક કરે છે આ સ્પેશ્યલ કૉફી, રહેશો ફીટ અને હેલ્ધી
તુલસીના પાનનું જ્યુસ
ગળાનો દુ:ખાવો અને પેટમાં થતો દુ:ખાવો દૂર કરવા માટે તુલસીના પાનના જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ બનાવવા માટે તમે 10 થી 12 પાન લો. આ પાનને પીસી તેનો રસ કાઢો. હવે આ રસને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લો. આ જ્યુસના સેવનથી પેટની સમસ્યાઓ દૂર થાય છે અને વજન પણ ઓછું થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir