બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ભાજપે પછાતવર્ગને અનામત આપવાનું કામ કર્યું' OBC અનામત મુદ્દે કોંગ્રેસને અમિત શાહે આપ્યો જવાબ
Last Updated: 07:33 PM, 27 April 2024
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રચારની ધૂરા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે સંભાળી છે. જેઓ આજે સવારથી વિવિધ બેઠકો પર જંજાવતી પ્રચાર કરી રહ્યાં છે. તેમણે પંચમહાલના ગોધરામાં સભા યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં તેમજ OBCને મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યો હતા.
400 બેઠક આવશે તો અનામત ખત્મ કરી નાંખશેના કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નિવેદનનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વાર ગોધરામાં સણસણતો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ OBC-OBC કરે છે પણ તે પક્ષે અને રાજીવ ગાંધીએ અનામતના વિરોધમાં નિર્ણય લીધા અને અનામતના લાભથી વંચિત રાખ્યા છે. ભાજપે પછાતવર્ગને અનામત પહોંચાડવાનું કામ કર્યુ છે. અનામતને લઇને કોંગ્રેસ ભ્રમ ફેલાવે છે.
વાંચવા જેવું: આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી, પૂનમ મહાજનનું પત્તુ કપાયું
તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી વિરોધી પાર્ટી છે. રાહુલ ગાંધીને કોઈએ પકડાવી દીધું છે કે, ઓબીસ-ઓબસી કરે છે. પરંતુ તેને ઈતિહાસ વાંચવો જોઈએ. કહ્યું કે, કોંગ્રેસે કાકા સાહેબ કાલેલકર કમિશનને દબાવી રાખ્યું ક્યારે અનામત ન આપી. જ્યારે અનામત આપવાનો નિર્ણય કર્યો ત્યારે રાજીવ ગાંધીએ વિરોધ કર્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ ઓબીસી કમિશન બનાવીને પક્ષીપંચને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ