બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / Politics / Congress state president Shaktisinh Gohil hits out at BJP's manifesto, says BJP has not fulfilled any of its promises
Vishal Dave
Last Updated: 04:20 PM, 14 April 2024
લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો, દેશના 80 કરોડ લોકો માટે મફત રાશન યોજના ચાલુ રાખવી અને ગરીબો માટે 3 કરોડ નવા ઘરોના નિર્માણ સહિતના વાયદા કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના આ ચૂંટણી ઢંઢેરાને લઈ ભાજપ પર પ્રહાર કર્યા છે.
ભાજપે મેનિફેસ્ટોના નામે માત્રને માત્ર જુમલા પત્ર જાહેર કર્યું છેઃ શક્તિસિંહ
શક્તિસિંહે કહ્યું કે, ભાજપે મેનિફેસ્ટો પર એકતરફી વાત કરી છે. 1 કલાક 40 મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈ પણ પત્રકારને એક પણ સવાલ પૂછવા દીધો નથી.. ભાજપે મેનિફેસ્ટોના નામે માત્રને માત્ર જુમલા પત્ર જાહેર કર્યું છે. ભાજપને અગાઉની ચૂંટણીમાં કાળુ ધન પાછું લાવવાનો અને દરેક લોકોને 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જો કે, ભાજપે 10 વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી.. ચીને ભારતમાં આવીને સ્માર્ટ સિટી બનાવ્યા છે, પરંતુ ચીનની આ હરકત મામલે મેનિફેસ્ટોમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી..
કોંગ્રેસ જે કહે છે, તે કરીને બતાવે છેઃ શક્તિસિંહ
શક્તિસિંહે કહ્યું પહેલાના સમયે મેનિફેસ્ટોમાં શું આપવાનું કહ્યું અને શું કર્યું તેનો ઉલ્લેખક કરવાની પ્રથા હતી, પરંતુ ભાજપની સરકારે આ પ્રથાને તોડવાનું કામ કર્યું છે. ભાજપે અગાઉ 30 લાખ જગ્યા ભરવાના વાયદો કર્યો હતો. આ જગ્યા હવે ભરાશે તેવો વાયદો ફરી ભાજપે કર્યો છે. વધુમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના મેનિફેસ્ટો પર બોલતા કહ્યું કે, કોંગ્રેસ જે કહે, તે કરીને બતાવે છે. આટલા માટે જ રાહુલ ગાંધીએ દેશના દરેક નાગરિકોને પૂછ્યું હતું કે, તમારે શું જોઈએ છે. આમ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં 5 ન્યાયની વાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime