બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / Congress inaugurated foot-over bridge on Ahmedabad riverfront, said BJP's VIP leaders don't have time
Priyakant
Last Updated: 12:44 PM, 19 July 2022
અમદાવાદ રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. 6 મહિનાથી આ બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. આમ છતાં હજુ સુધી બ્રિજનું લોકાર્પણ થયું નથી. જેથી AMC વિપક્ષ નેતા નેતા શેહઝાદ ખાન પઠાણે બ્રિજનું લોકાર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, AMC કેન્દ્રીય મંત્રીને હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવા માગતું હતું, પરંતુ AMC વિરોધ પક્ષે કંટાળીને બ્રિજનું લોકાર્પણ કર્યું છે.
ફૂટ ઓવર બ્રિજનું વિરોધ પક્ષે કર્યું લોકાર્પણ
અમદાવાદના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાયો છે. જોકે આ બ્રિજને તૈયાર થઈ ગયે 6 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજી સુધી તેનું લોકાર્પણ ન હતું. જેથી આજે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ પઠાણે ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી દીધું છે.
AMC કેન્દ્રીય મંત્રીને હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાવવા માંગતુ હતું
કરોડોના ખર્ચે અંદાજિત 6 મહિના પૂર્વે તૈયાર થયેલ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ AMC કેન્દ્રીય મંત્રીને હસ્તે કરાવવા માંગતુ હતું. જોકે બ્રિજ બન્યા ના 6 મહિના પછી પણ હજી સુધી લોકાર્પણ નહીં થાય અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષે કંટાળી બ્રિજનું લોકાર્પણ કરી દીધું છે.
જાણો કેવો છે ફૂટ ઓવરબ્રિજ ?
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતિ રિવરફ્રન્ટનો આ ફૂટ ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. શહેરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મિટરના આઈકોનિક બ્રિજના બાંધકામની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. મહત્વનું છે કે, બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. જેના માટે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવવો પડશે. ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીના સ્ટોલ ઊભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. એટલે કે, અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime