બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / CM Bhupendra patel congress leader shailesh parmar video viral jamnagar

કટાક્ષ / 'આવી જાઓ, અમે બધાને લઇ જઇએ છીએ' : CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ગાડીમાં સાથે આવી જવા કરી ટકોર

Published By: Mahadev Dave

Last Updated: 06:08 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા. તેમણે આયોજન બદલ ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા.

  • જામનગરમાં ચાલતી ભાગવત સપ્તાહમાં સહભાગી બનતા CM
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથાને ધર્મ યજ્ઞ ગણાવ્યો
  • CMની કોંગ્રેસ નેતાને ટકોરને લઇ રાજકીય ચર્ચાઓ શરૂ 

જામનગરમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આયોજિત ભાગવત સપ્તાહનો માહોલ બરોબરનો જામી રહ્યો છે. આ સપ્તાહમાં તમામ પક્ષના રાજકીય દીગજજો હાજરી આપી ચૂક્યા છે. તેવાંમાં સપ્તાહના સાતમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષી ઉપનેતા શૈલેષ પરમારને માર્મિક ટકોર કરી ગાડીમાં સાથે આવી જવા આમંત્રણ આપી દીધું હતું. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે CMની ટકોરને રાજકિય અટકળોનો દોર શરૂ થયો છે. 

માનવીના માનસિક ઉકળાટને શાંત કરવાનું કાર્ય કરતાં ધાર્મિક આયોજનો : CM 
જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથા મુખ્યમંત્રી સહભાગી બન્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી.અને સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 

કથામાં અનેક આગેવાનો રહ્યા હાજર 
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત પૂ. શેરનાથજી બાપુ, જામનગર મોટી હવેલીના વલ્લભ બાવાશ્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નિતીન પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપભાઈ પરમાર, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરીયા, ધારાસભ્ય આર.સી. ફળદુ, શૈલેષભાઈ પરમાર, મેયર  બીનાબેન કોઠારી સહિતના હાજર રહ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

CM bhupendr patel dharmendrsinh jadeja jamnagar જામનગર CM Bhupendra Patel

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ