CMO સચિવ અશ્વિનીકુમારે આજે NSFA કાર્ડઝારકો અને APL કાર્ડધારકોને સરકારી અનાજ વિતરણની તારીખો જાહેર કરી હતી એ સિવાય નાના વેપારીઓને આત્મનિર્ભર યોજના હેઠળ સરકાર તરફથી મદદ તૈયાર છે. ગુજરાત સરકાર તરફથી આ યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.
અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે જે 27 મે સુધી અનાજ વિતરણ ચાલશે
1 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે
2 ટકા વ્યાજે આ લોન આપવામાં આવશે
રાજ્યમાં ફરી એકવાર સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવશે. CMO સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે NSFA કાર્ડધારકોને ઘઉ, ખાંડ, ચોખા 17 મેથી 27 મે સુધીમાં આપવામાં આવશે.. NSFA કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં આપવામાં આવશે. અમદાવાદમાં NFSA કાર્ડ ધારકોને હાલ રાશન વિતરણ નહીં કરવામાં આવે. અમદાવાદમાં 18 મેથી 23 મે દરમિયાન APL-1 કાર્ડ ધરાકોને અનાજ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારી, દુકાનદારો, મધ્યમવર્ગના પરિવારો માટે લોનનું આયોજન કર્યું છે. જે અર્બન કોઓપરેટીવ બેંક , જિલ્લા સહકારી બેંકમાં ફોર્મ મળશે. 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે. 2 ટકા વ્યાજે આ લોન આપવામાં આવશે. જે 3 વર્ષ માટે મળશે. અને શરૂઆતના 6 મહિના કોઈ જ હપ્તા ભરવા નહીં પડે. જનજીવનને ફરી સામાન્ય કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સાડા 5 કરોડનું ધીરાણ આપવામાં આવશે.
અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે
અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે જે 27 મે સુધી અનાજ વિતરણ ચાલશે. અમદાવાદમાં NFSA કાર્ડ ધારકોને અનાજ હાલ નહીં આપવામાં આવે. માત્ર અમદાવાદમાં APL-1 કાર્ડ ધારકોને અનાજ નહોતું આપ્યું18મી મેથી 23 મે સુધીમાં અમદાવાદમાં APL-1 કાર્ડ ધારકોને અનાજ મળશે.
રેશનકાર્ડનો છેલ્લો આંક 1 હશે તો 17મીએ અનાજ મળશે
રેશનકાર્ડનો છેલ્લો આંક 2 હશે તો 18મીએ અનાજ મળશે
રેશનકાર્ડનો છેલ્લો આંક 3 હશે તો 19મીએ અનાજ મળશે
રેશનકાર્ડનો છેલ્લો આંક 8 હશે તો 24 મીએ અનાજ મળશે
રેશનકાર્ડનો છેલ્લો આંક 9 હશે તો 25મીએ અનાજ મળશે
રેશનકાર્ડનો છેલ્લો આંક 0 હશે તો 26મીએ અનાજ મળશે
17મીથી 26 મે સુધી છેલ્લા આંક પ્રમાણે અનાજ વિતરણ થશે