બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CMO secretary Ashwani kumar DIGITAL PRESS 15 MAY 2020

જાહેરાત / નાના વેપારીઓ અને મધ્યમ વર્ગની પડખે છે ગુજરાત સરકાર: અશ્વિનીકુમાર

Published By: Gayatri

Last Updated: 03:52 PM, 15 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CMO સચિવ અશ્વિનીકુમારે આજે NSFA કાર્ડઝારકો અને APL કાર્ડધારકોને સરકારી અનાજ વિતરણની તારીખો જાહેર કરી હતી એ સિવાય નાના વેપારીઓને આત્મનિર્ભર યોજના હેઠળ સરકાર તરફથી મદદ તૈયાર છે. ગુજરાત સરકાર તરફથી આ યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

  • અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે જે 27 મે સુધી અનાજ વિતરણ ચાલશે
  • 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે
  • 2 ટકા વ્યાજે આ લોન આપવામાં આવશે

રાજ્યમાં ફરી એકવાર સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવશે. CMO સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે NSFA કાર્ડધારકોને ઘઉ, ખાંડ, ચોખા 17 મેથી 27 મે સુધીમાં આપવામાં આવશે.. NSFA કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં આપવામાં આવશે.  અમદાવાદમાં NFSA કાર્ડ ધારકોને હાલ રાશન વિતરણ નહીં કરવામાં આવે. અમદાવાદમાં 18 મેથી 23 મે દરમિયાન APL-1 કાર્ડ ધરાકોને અનાજ વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારી, દુકાનદારો, મધ્યમવર્ગના પરિવારો માટે લોનનું આયોજન કર્યું છે. જે અર્બન કોઓપરેટીવ બેંક , જિલ્લા સહકારી બેંકમાં ફોર્મ મળશે. 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે. 2 ટકા વ્યાજે આ લોન આપવામાં આવશે.  જે 3 વર્ષ માટે મળશે. અને શરૂઆતના 6 મહિના કોઈ જ હપ્તા ભરવા નહીં પડે. જનજીવનને ફરી સામાન્ય કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સાડા 5 કરોડનું ધીરાણ આપવામાં આવશે.

અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે

અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે જે 27 મે સુધી અનાજ વિતરણ ચાલશે. અમદાવાદમાં  NFSA કાર્ડ ધારકોને અનાજ હાલ નહીં આપવામાં આવે. માત્ર અમદાવાદમાં APL-1 કાર્ડ ધારકોને અનાજ નહોતું આપ્યું18મી મેથી 23 મે સુધીમાં અમદાવાદમાં APL-1 કાર્ડ ધારકોને અનાજ મળશે. 

  • રેશનકાર્ડનો છેલ્લો આંક 1 હશે તો 17મીએ અનાજ મળશે
  • રેશનકાર્ડનો છેલ્લો આંક 2 હશે તો 18મીએ અનાજ મળશે
  • રેશનકાર્ડનો છેલ્લો આંક 3 હશે તો 19મીએ અનાજ મળશે
  • રેશનકાર્ડનો છેલ્લો આંક 8 હશે તો 24 મીએ અનાજ મળશે
  • રેશનકાર્ડનો છેલ્લો આંક 9 હશે તો 25મીએ અનાજ મળશે
  • રેશનકાર્ડનો છેલ્લો આંક 0 હશે તો 26મીએ અનાજ મળશે
  • 17મીથી  26 મે સુધી છેલ્લા આંક પ્રમાણે અનાજ વિતરણ થશે
  • નિયત દિવસે અનાજ ન લેનારને 27મી તારીખે અનાજ અપાશે

રાજ્ય સરકારે નવી યોજનાની કરી જાહેરાત

  • વેપારી, નાના દુકાનદારો માટે સરકારની નવી યોજના
  • મધ્યમવર્ગ પરિવારને મળશે યોજનાનો સીધો લાભ
  • અર્બન કોઓપરેટીવ બેંક, જિલ્લા સહકારી બેંકોમાં મળશે ફોર્મ
  • એક લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવશે
  • બે ટકા વ્યાજની લોન આપવામાં આવશે
  • 3 વર્ષ માટે  લોન આપવામાં આવશે
  • શરૂઆતના 6 મહિના માટે કોઈ હપ્તા ભરવા નહીં પડે
  • જનજીવનને સામાન્ય કરવા માટે સરકાર યોજના અમલમાં લાવી
  • કુલ સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનું ધીરાણ આપવામાં આવશે
  • 8 ટકાની લોનમાંથી 6 ટકા વ્યાજ સરકાર ભરશે
  • લોન લેનારને 2 ટકા વ્યાજ આપવાનો રહેશે

સંકળાયેલા મુદ્દાઓ

CMO Ashwinikumar Coronavirus કોરના વાયરસ ગુજરાતમાં કોરના સીએમઓ સચિવ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ