બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CMO secretary Ashwani kumar DIGITAL PRESS 15 MAY 2020
ADVERTISEMENT
રાજ્યમાં ફરી એકવાર સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવશે. CMO સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે NSFA કાર્ડધારકોને ઘઉ, ખાંડ, ચોખા 17 મેથી 27 મે સુધીમાં આપવામાં આવશે.. NSFA કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં આપવામાં આવશે. અમદાવાદમાં NFSA કાર્ડ ધારકોને હાલ રાશન વિતરણ નહીં કરવામાં આવે. અમદાવાદમાં 18 મેથી 23 મે દરમિયાન APL-1 કાર્ડ ધરાકોને અનાજ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારી, દુકાનદારો, મધ્યમવર્ગના પરિવારો માટે લોનનું આયોજન કર્યું છે. જે અર્બન કોઓપરેટીવ બેંક , જિલ્લા સહકારી બેંકમાં ફોર્મ મળશે. 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વિના આપવામાં આવશે. 2 ટકા વ્યાજે આ લોન આપવામાં આવશે. જે 3 વર્ષ માટે મળશે. અને શરૂઆતના 6 મહિના કોઈ જ હપ્તા ભરવા નહીં પડે. જનજીવનને ફરી સામાન્ય કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સાડા 5 કરોડનું ધીરાણ આપવામાં આવશે.
ADVERTISEMENT
અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે
અનાજ વિતરણ 17 મેથી શરૂ થશે જે 27 મે સુધી અનાજ વિતરણ ચાલશે. અમદાવાદમાં NFSA કાર્ડ ધારકોને અનાજ હાલ નહીં આપવામાં આવે. માત્ર અમદાવાદમાં APL-1 કાર્ડ ધારકોને અનાજ નહોતું આપ્યું18મી મેથી 23 મે સુધીમાં અમદાવાદમાં APL-1 કાર્ડ ધારકોને અનાજ મળશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારે નવી યોજનાની કરી જાહેરાત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.