બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મેં તમને ધારાસભ્ય બનાવ્યાં' ભરુચના સાંસદ મનસુખ વસાવા અને MLA દર્શના દેશમુખ વચ્ચે ચકમક ઝરી

આક્ષેપ / 'મેં તમને ધારાસભ્ય બનાવ્યાં' ભરુચના સાંસદ મનસુખ વસાવા અને MLA દર્શના દેશમુખ વચ્ચે ચકમક ઝરી

Vishal Khamar

Last Updated: 10:03 PM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા જિલ્લામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. જેમાં ધારાસભ્ય અને સાંસદ આમને-સામને આવી જતા એક બીજા પર આક્ષેપ કર્યા હતા.

નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવાના ભ્રષ્ટ્રાચારના આક્ષેપો બાદ હલચલ તેજ બની જવા પામી છે. ભાજપના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે મૌન તોડ્યું હતું. અને સાંસદ મનસુખ વસાવા સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સને લઈ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપમાં એકબીજા પર આક્ષેપોનો મારો થઈ રહ્યો છે. ગતરોજ રાજપીંપળાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપ કર્યા હતા તેમજ માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સાંસદ મનસુખ વસાવાએ ફરી પ્રેસ કોન્ફરન્સ કરી ધારાસભ્ય દર્શના દેશમુખને જવાબ આપતા ભાજપનો અંદરો અંદરનો વિખવાદ સામે આવવા પામ્યો છે.

નર્મદા જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થાય છેઃ ડૉ.દર્શના દેશમુખ

તા. 12 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, તા. 7 ડિસેમ્બરના રોજ સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ નર્મદા જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતું મહિલા ધારાસભ્ય દ્વારા કોઈ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મારી સાંઠગાંઠ હોવાનાં સંકેત આપ્યા હતા. જેને લઈ મારી બદનામી થઈ છે.

ભ્રષ્ટ્રાચારની વાત સાંસદ સાબિત નહી કરે તો કોર્ટમાં જઈશ

વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી આપના ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે. તેમજ સાંસદ ભ્રષ્ટ્રાચારની વાત કરે છે તે સાબિત કરે. અને જો તેઓ ભ્રષ્ટ્રાચારનું સાબિત નહી કરે તો હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ. અને કોર્ટમાં જવાનું હશે તો પણ હું જઈશ. તેમજ હું મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાની હતી. પરંતું પ્રદેશમાંથી સૂચના મળતા આ કાર્યક્રમ રદ્દ કર્યો હતો.

ચૈતર વસાવાએ ખર્ચને લઈ અધિકારીઓ પર દબાણ કર્યું ત્યારે ધારાસભ્ય મૌન રહ્યા હતા

ડૉ.દર્શના દેશમુખ દ્વારા ગત રોજ યોજેલ પ્રેસ કોન્ફરન્સ બાદ દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ડૉ.દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડીયા કોલીની ખાતે યોજાયેલ એકતા પરેડ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચને લઈ દબાણ કર્યું હતું. ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ મૌન રહ્યા હતા.

વિવાદ કેમ થયો

તા. 7 ડિસેમ્બરના રોજ સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓઓ નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં થઈ રહેલ ભ્રષ્ટ્રાચારને લઈ આક્ષેપ કર્યા હતા. પરંતું નેતા દ્વારા કોઈ ભ્રષ્ટ્રાચાર કરનાર નેતાના નામ અંગે મૌન સેવ્યું હતું. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, તેમના કેટલાક ડોક્ટરોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મિલીભગત છે. ડૉ. દર્શના દેશમુખને એમ લાગ્યું કે તેઓ તેમના વિશે કહી રહ્યા છે. જે બાદ સમગ્ર વિવાદનો મધપૂડો છેડાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હવે પછી કેવી રહેશે ઠંડી? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડો.દર્શના દેશમુખને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી દબાયેલા રહેલા દર્શનાબેન હિંમત બતાવી છે અને સાંસદ સામે બોલ્યા છે જે અભિનંદનને પાત્ર છે. અમે તેમને ત્રણ વર્ષથી સહન કરીએ છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch news Narmada Narmada News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ