બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નોંધનીય છે કે કોરોના વાયરસના પ્રસારના સમાચાર વિલંબથી આપવાના આરોપોથી ઘેરાયેલા ચીને રવિવારે એકવાર ફરી ખુદને નિર્દોષ બતાવ્યું અને કહ્યું કે કોરોનાનો પહેલો મામલો વુહાનમાં 27 ડિસેમ્બરે સામે આવ્યો હતો. જ્યારે નિમોનિયા અને માનવથી માનવમાં સંક્રમણ ફેલાવા વિશે 19 જાન્યુઆરીએ જાણવા મળ્યું. ચીને એમ પણ જણાવ્યું કે તેના પર અંકુશ લગાવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી.

ADVERTISEMENT
સમાચાર એજન્સી પીટીઆઇએ ચીની મીડિયાના હવાલાથી એક રિપોર્ટમાં જણાવ્યું કે ચીન સરકાર દ્વારા જારી શ્વેતપત્રમાં વુહાનમાં ગત વર્ષે કોરોના વાયરસના કેસ આવવાની જાણકારી છુપાવા અને તેના વિશે વિલંબથી સમાચાર આપવાના આરોપોને ફગાવતા વિસ્તૃતમાં વર્ણન કરવામાં આવ્યું છે.
શ્વેતપત્ર અનુસાર વુહાનમાં 27 ડિસેમ્બર 2019એ એક હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસની ઓળખ કર્યા બાદ સ્થાનીય સરકારે સ્થિતિને જોવા માટે એક્સપર્ટ્સની મદદ લીધી છે. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC) દ્વારા ગઠિત એક ઉચ્ચસ્તરીય વિશેષજ્ઞ ટીમે 19 જાન્યુઆરીએ પહેલીવાર પુષ્ટી કરી કે આ માનવીથી માનવીમાં ફેલાઇ શકે છે.
ADVERTISEMENT
.jpg)
ચીનના અગ્રણી શ્વસન રોગ એક્સપર્ટ વાંગ ગુઆંગફાએ કહ્યું કે 19 જાન્યુઆરીથી પહેલા આ વિશે પુરતા પુરાવા નહોતા કે વાયરસ માનવીથી માનવીમાં ફેલાઇ શકે છે. શ્વેતપત્રમાં ચીનની તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોરોના વાયરસના માનવીથી માનવીમાં ફેલાવા વિશે જાણવા મળ્યું તો તેની રોકથામ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારીમાં ચીનની ભૂમિકાને લઇને પહેલાથી જ ઘણા દેશ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી ચૂક્યા છે. ચીન પર દુનિયાભરના દેશોની આશંકા વધી રહી છે. અમેરિકા શરૂઆતથી જ ચીન પર કાર્યવાહીની ધમકી આપી રહ્યું છે. ચીનને કારણે જ અમેરિકાએ WHOએ થી અલગ થઇ ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.