બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરાનું ગુજરાતમાં ડરામણું રૂપ! આજે વધુ એક બાળકનું મોત, ચિંતાજનક આંકડા જાહેર
Last Updated: 09:31 PM, 25 July 2024
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યાથાવત છે, આ જાનલેવા વાયરસથી ખેડાના ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે એક બાળકનું મોત થયું છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે
ADVERTISEMENT
ખેડામાં ચાંદીપુરાથી 1 બાળકનું મોત
ખેડામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયું છે. ગળતેશ્વર તાલુકાના ઘડીયા ગામે જીવલેણ વાયરસે બાળકનો જીવ લીધો છે. વડોદરા એસેસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે.
ADVERTISEMENT
પંચમહાલમાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ તરફ પંચમહાલ જિલ્લામાં વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5ને પાર પહોંચી છે. તો જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના લીધે 5 બાળકોના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ સમાજમાં ભર ચોમાસે ઢીંગલા-ઢીંગલીના લગ્નનો રિવાજ, અનોખી પરંપરા પાછળ છે કારણ
શું છે આ ચાંદીપુરા વાયરસ ?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.