બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આઝમ ખાનની જોહર યુનિવર્સિટી પર ચાલશે બુલડોઝર: 40 માંથી 38 ભવનો તોડી પાડવાનો કડક આદેશ

નેશનલ / આઝમ ખાનની જોહર યુનિવર્સિટી પર ચાલશે બુલડોઝર: 40 માંથી 38 ભવનો તોડી પાડવાનો કડક આદેશ

Pravin Joshi

Last Updated: 09:36 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી રામપુરની જોહર યુનિવર્સિટીના 40 માંથી 38 ભવનોને ગેરકાયદેસર જાહેર કરી રામપુર વિકાસ સત્તામંડળે આગામી 15 દિવસમાં તોડી પાડવાનો સત્તાવાર આદેશ જાહેર કર્યો છે.

ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને હાલમાં જેલમાં બંધ મોહમ્મદ આઝમ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી 'જૌહર યુનિવર્સિટી' સામે વહીવટી તંત્ર દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. રામપુર વિકાસ સત્તામંડળે યુનિવર્સિટી પરિસરમાં બનેલી કુલ 40 ઇમારતોમાંથી 38 ઇમારતોના બાંધકામને ગેરકાયદેસર જાહેર કર્યું છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ઇમારતો કોઈ પણ મંજૂર નકશા વગર બનાવવામાં આવી છે. આથી વહીવટી તંત્રએ આ તમામ 38 ભવનોને તોડી પાડવાનો આદેશ જારી કર્યો છે. યુનિવર્સિટી પ્રશાસનને આ ગેરકાયદેસર બાંધકામો જાતે જ હટાવી લેવા માટે 15 દિવસની મુદ્દત આપવામાં આવી છે. જો આ સમયમર્યાદામાં બાંધકામ હટાવવામાં નહીં આવે, તો સત્તામંડળ કાયદેસરની કાર્યવાહી કરીને બુલડોઝર ફેરવશે.

Azam Khan Johar University Demolition

શા માટે લેવાયો આ મોટો નિર્ણય?

રામપુર વિકાસ સત્તામંડળના જણાવ્યા મુજબ, જૌહર યુનિવર્સિટી રામપુર સદર તહસીલના સિંગનખેડા ગામમાં આવેલી છે. વર્ષ 2024 થી આ વિસ્તાર સત્તાવાર રીતે રામપુર વિકાસ સત્તામંડળના અધિકાર ક્ષેત્ર હેઠળ સામેલ થયો છે. આ ફેરફાર બાદ ઓથોરિટીએ યુનિવર્સિટી પ્રશાસન પાસે ઇમારતોના માન્ય નકશા અને મંજૂરી અંગેની વિગતો માંગી હતી. નોટિસનો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યા બાદ સત્તામંડળ દ્વારા વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અને સુનાવણી દરમિયાન સામે આવ્યું કે યુનિવર્સિટી પરિસરમાં આવેલા કુલ 40 ભવનોમાંથી માત્ર 2 ભવનોના જ નકશા નિયમોનુસાર મંજૂર કરાયેલા હતા, જ્યારે બાકીના 38 ભવનો કોઈપણ સત્તાવાર મંજૂરી વગર બાંધી દેવાયા હતા.

બંને પક્ષોની રજૂઆત અને વહીવટી તંત્રની દલીલ

રામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ અજય કુમાર દ્વિવેદીએ આ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન યુનિવર્સિટીના મોટાભાગના ભવનો પરવાનગી વગરના અને અનધિકૃત માળખા હેઠળના હોવાનું સાબિત થયું છે. જોહર યુનિવર્સિટી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે આ ભવનોનું નિર્માણ થયું ત્યારે આ વિસ્તાર રામપુર વિકાસ સત્તામંડળ હેઠળ આવતો ન હતો.

આ દલીલ ફગાવતા જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યું કે, વર્ષ 2024 પહેલા આ વિસ્તાર જિલ્લા પંચાયત હેઠળ આવતો હતો. યુનિવર્સિટીએ તે સમયે જિલ્લા પંચાયત પાસેથી 2 ભવનોના નકશા મંજૂર કરાવ્યા હતા. આ બાબત સાબિત કરે છે કે યુનિવર્સિટી તંત્ર નકશા મંજૂર કરવાની કાયદાકીય પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હતું. તેમ છતાં તેમણે બાકીની 38 ઇમારતો માટે મંજૂરી મેળવી ન હતી, જેના કારણે આ બાંધકામો ગેરકાયદેસરની શ્રેણીમાં આવે છે.

વધુ વાંચો : તિરુપતિ મંદિરમાં VIP આરતી પર વિવાદ, MP-MLA કરશે પહેલી આરતી, CMના નિર્ણયથી નારાજગી

યોગી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ એક્શન

જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી 'ઉત્તર પ્રદેશ નગર આયોજન અને વિકાસ અધિનિયમ, 1973' ની કલમ 27(1) હેઠળ કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગેરકાયદેસર બાંધકામો અને માફિયાઓ વિરુદ્ધની 'ઝીરો ટોલરન્સ' નીતિના ભાગરૂપે આ પગલું લેવાયું છે. જો આગામી 15 દિવસમાં યુનિવર્સિટી વહીવટી તંત્ર આ બાંધકામ પોતાની મેળે નહીં હટાવે, તો વહીવટી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JoharUniversity YogiAdityanath AzamKhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ