અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને સુરક્ષિત માનવામાં આવે છે. એથોરિટી દ્વારા કરવામાં આવતા સુરક્ષિતના દાવા પોકળ સાબિત થયા છે. એરપોર્ટ મેનેજમેન્ટ અને સિક્યુરિટીની મોટી બેદરકારી સામે આવી છે. એરપોર્ટના ગાર્ડન એરિયામાં ભેંસ ઘુસી જતા સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે. પેસેન્જર રિસીવ કરવાના એરિયામાં ભેંસો ઘૂસી હતી. આ દરમિયાન અકસ્માત પણ થઈ શકે છે. સિક્યુરિટી હોવા છતા એરપોર્ટની અંદર ભેંસ ઘુસી જતા સલામતીને લઈને સવાલ ઉઠ્યા છે.