વૈદિક જ્યોતિષમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવ્યો છે. બુધ ધન, બુદ્ધી, વેપારનો કારક છે. બુધની ચાલમાં ફેરફાર અથવા કુંડળીમાં બુધની મહાદશા અથવા અંતર્દશા થવાથી જાતકના જીવન પર મોટી અસર પડે છે.
17 વર્ષ ચાલે છે બુધની મહાદશા
આ જાતકોને મળે છે રાજા જેવુ જીવન
બુધની મહાદશા દરમ્યાન જાતકને થાય છે તગડો લાભ
બુધની મહાદશા શરૂ થાય છે તો જાતકને તગડો લાભ થાય છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ 25 દિવસમાં રાશિ ગોચર કરે છે. બુધ ગ્રહ બુદ્ધી, ધન, વેપાર, સંવાદ, તર્કશક્તિના દાતા છે. જે વ્યક્તિની કુંડળીમાં બુધ શુભ સ્થિતિમાં હોય તેઓ તેજ બુદ્ધીના સ્વામી હોય છે. તેમની તર્ક શક્તિ સારી હોય છે. વેપારમાં ત્રણ ગણા પૈસા કમાય છે. આવા જાતકની કુંડળીમાં જ્યારે બુધની મહાદશા શરૂ થાય છે તો જાતકને તગડો લાભ થાય છે. જાતકને વેપારમાં વધુ પૈસા મળે છે.
17 વર્ષ ચાલે છે બુધની મહાદશા
જ્યોતિષ શાસ્ત્રમાં બુધની મહાદશાને શુભ માનવામાં આવી છે. બુધની મહાદશા કોઈ પણ વ્યક્તિ પર 17 વર્ષ સુધી ચાલે છે. આ દરમ્યાન જાતકની બુદ્ધી, સંવાદ શૈલી, તેની રચનાત્મકતા, વેપાર, આર્થિક સ્થિતિ પર મોટી અસર પડે છે. જો કુંડળીમાં બુધ શુભ થાય તો જાતકના આ 17 વર્ષ મોજમાં જાય છે. તેને અઢળક પૈસા મળે છે. તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. કલા, બુદ્ધીની ક્ષમતા પર ખૂબ નામ અને પૈસા કમાય છે. તેમની લોકપ્રિયતા વેગવંતી રહે છે.
બુધની મહાદશાનો પ્રભાવ નકારાત્મક મળે છે
જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો થાય તો બુધની મહાદશાનો પ્રભાવ નકારાત્મક મળે છે. એવામાં જાતકની બુદ્ધી ભ્રમિત થાય છે. તે પોતાના લક્ષ્યથી ભટકી જાય છે. યોગ્ય નિર્ણય લઇ શકતા નથી. તેમની વાતચીત કરવાની કલા નબળી પડી જાય છે. જો તે વેપાર કરે છે તો તેણે નુકસાન ઉઠાવવુ પડે છે.
બુધની મહાદશાના ઉપાય
જો કુંડળીમાં બુધ નબળો હોય તો બુધની મહાદશા દરમ્યાન અનેક પ્રકારના દુ:ખ અને નુકસાન ભોગવવા પડે છે. એવામાં વ્યક્તિએ બુધ સંબંધી ઉપાય કરી લેવા જોઈએ.
દર બુધવારે ગાયને લીલુ ઘાસ ખવડાવો. આ સાથે બુધ ગ્રહ સાથે સંબંધિત ચીજ વસ્તુઓનુ દાન કરો.
વિશેષજ્ઞને પોતાની કુંડળી બતાવીને અને તેની સલાઈ લઇને પન્ના રત્ન ધારણ કરો.
લીલા રંગના કપડા પહેરો. ભોજનમાં લીલી શાકભાજી વધુ ખાવ.