બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood News Nawazuddin Siddiqui patched up with wife aaliya anand pandey
Last Updated: 07:35 PM, 28 March 2024
નવાઝુદ્દીન સિદ્દીકીની પર્સનલ લાઈફ લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. અભિનેતાની તેની પત્ની આલિયા આનંદ પાંડેની સાથે ઘરેલું વિવાદ એટલો આગળ વધ્યો હતો કે બંનેએ તલાક લેવાનો નિર્ણય કર્યો હતો. આલિયા બાળકો સાથે દુબઈ રહેતી જ્યારે નવાઝ મુંબઈમાં રહેતો હતો. બંને તરફથી એકબીજા ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં જ આલીયાએ એક ફોટો શેર કરીને બધાને સ્તબ્ધ કરી દીધા.
ADVERTISEMENT
તેમણે બાળકોની સાથે નવાઝ અને પોતાનો એક ફોટો શેર કર્યો અને લગ્નની વર્ષગાંઠ ઉજવવાનો દાવો કર્યો. આ ફોટોને લઈને ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો અને આ સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે તે અને નવાઝે તેમના બાળકો માટે ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આલિયાએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે લગ્નની વર્ષગાંઠ પર નવાઝ મને અને બાળકોને મળવા દુબઈ આવ્યો હતો.
ADVERTISEMENT
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, તેમના લગ્નજીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિનાં કારણે સમસ્યા થઇ હતી પણ હવે બધું સરખું છે. તેમણે એ પણ કહ્યું કે અમારું સાથે આવવાનું પહેલું કારણ અમારા બાળકો છે. આલિયાએ આગળ જણાવ્યું કે, હવે અલગ રહેવાનો કોઈ અર્થ નથી. બાળકો હવે મોટા થઇ રહ્યા છે અને અમારે સાથે રહેવાની જરૂર છે. નવાઝ શોરાને બહુ જ પ્રેમ કરે છે, જે કઈ પણ થયું હતું તેના પછી તે ચિંતામાં હતી. શોરા આ બધું સહન ન કરી શકી. આલિયાએ કહ્યુ કે, નવાઝ પાછો મુંબઈ આવી ગયો છે અને ટૂંક સમયમાં તે પણ તેના બાળકો સાથે મુંબઈ પરત ફરશે, જેથી તે બધા સાથે રહી શકે.
તમને જણાવી દઈએ કે આલિયાએ નવાઝ પર ઘણાં ગંભીર આરોપ લગાવ્યા હતા અને નવાઝ સાથે ઝગડાનો વિડીયો પણ વાયરલ કર્યો હતો સાથે પર્સનલ ચેટ પણ શેર કરી હતી. આ પછી તેમણે સોશ્યલ મીડિયા પર નવાઝને માફ કર્યો તેવું કહ્યું હતું અને બિગબોસમાં જણાવ્યું કે અમારી વચ્ચે બધું પતી ગયું છે. પણ હવે તે સાથે આવી ગયા છે અને આ વાતથી ફેન્સ ઘણા ખુશ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.