બિગ બૉસ 16ના સ્પર્ધક સાજિદ ખાન અને સૌંદર્યા શર્માના રિલેશનશિપના અહેવાલ છેલ્લાં ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે બોલીવુડ ફિલ્મમેકર સાજિદ ખાને આખરે તેના પર રિએક્શન આપ્યું છે. સાજિદ ખાનનો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પ્રશંસકોનુ માનવુ છે કે બંનેની વચ્ચે ખરેખર કોઈ ખિચડી પાકી રહી છે.
સાજિદ ખાન અને સૌંદર્યા શર્માના રિલેશનશિપના અહેવાલ ચર્ચાનો વિષય બન્યાં
બોલીવુડ ફિલ્મમેકર સાજિદ ખાને આખરે તેના પર રિએક્શન આપ્યું
સાજિદ ખાનનો જવાબ સોશિયલ મીડિયામાં થયો વાયરલ
સાજિદ ખાને સૌંદર્યાની સાથે રિલેશનશિપને લઇને મૌન તોડ્યુ
એવામાં હવે આખરે સાજિદ ખાને સૌંદર્યાની સાથે રિલેશનશિપને લઇને મૌન તોડ્યુ છે. સાજિદ ખાને સૌંદર્યા શર્માની સાથેના સંબંધને માત્ર અફવા ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે સૌંદર્યા અને તેમની વચ્ચે કોઈ ખિચડી પાકી રહી નથી.
'તે મારી નાની બહેનની જેમ છે'
સૌંદર્યા શર્માની સાથે સંબંધ અંગે વાત કરતા સાજિદ ખાને એક ન્યુઝ પોર્ટલને કહ્યું, આ બિલ્કુલ ખોટા સમાચાર છે. તે મારી નાની બહેનની જેમ છે, હું કોઈની સાથે પણ રિલેશનશિપમાં નથી. આ માત્ર અફવા ફેલાવાઈ રહી છે. સાજિદ ખાને સૌંદર્યા શર્માની સાથે રિલેશનશિપના સમાચારને સીધા ફગાવી દીધા છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સતત દાવો કરાઈ રહ્યો છે કે સાજિદ ખાન અને સૌંદર્યા શર્માની વચ્ચે ઘનિષ્ઠતા વધી રહી છે. સાજિદ ખાનની અપકમિંગ ફિલ્મના એક ગીતમાં સૌંદર્યા શર્મા પણ દેખાઈ શકે છે. આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઇ નથી.
સૌંદર્યા શર્માની રિલેશનશિપ
બિગ બૉસના ઘરમાં ગૌતમ વિજની સાથે સૌંદર્યા શર્માનુ રિલેશનશિપ ખૂબ ચર્ચામાં રહ્યું હતુ. બંનેના સંબંધને ઘણા લોકોએ ખોટા ગણાવ્યાં અને કહ્યું કે આ માત્ર ગેમ માટે છે. જો કે, ઘરમાંથી બહાર આવ્યાં બાદ સૌંદર્યા શર્માએ સ્પષ્ટ કર્યુ કે તે ગૌતમ વિજની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી.