બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એસિડિટીની દવાને લોકો એમ માનીને લેતા હોય છે કે તેનાથી કોઇ નુકસાન થતું નથી પરંતુ તમને પણ એસિડિટીની દવાની આદત પડી ગઇ હોય તો ચેતી જજો. કેમ કે અમેરિકાનાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે ભારત સહિતનાં દેશોમાં પેટના દુખાવા અને એસિડિટી માટે વપરાતી દવામાં કેન્સર થાય તેવા કેટલાક તત્વો રહેલા છે.
ADVERTISEMENT
ભારતમાં ઘણી બઘી જાણીતી ફાર્માં કંપનીઓની એસિડિટીની દવામાં રેનિટિડિન વપરાય છે. આ દવામાં ઓછી માત્રામાં નાઇટ્રોસેમાઇન હોય છે જેને નાઇટ્રોસોડી ઇમિથાઇલ એમાઇન પણ કહે છે. આ કેમિકલથી કેન્સર થવાનો ખતરો રહે છે તેવું અનેક લેબોરેટરી ટેસ્ટમાં જાણવા મળ્યું છે. રેનિટિડિન જઠરમાં એસિડનું પ્રમાણ ઘટાડે છે. ભારતમાં એસિડિટી ઉપરાંત તેનાથી થતી પાચનની સમસ્યા તથા છાતીમાં બળતરામાં ડોકટરો છુટથી આ દવા લખી આપે છે.
ADVERTISEMENT
યુરોપિયન મેડિસિન્સ એજન્સી એકત્રિત કરી રહ્યું છે એસિડિટીની દવાથી થતી આડઅસરો
અનેક લોકો તો સહેજ એસિડિટી જેવું લાગે ત્યારે જાતે જ આવી દવાઓ લેતા હોય છે. યુરોપિયન મેડિસિન્સ એજન્સી પણ રેનિટિડિનયુકત એસિડિટીની દવાથી થતી આડઅસરો અંગેની માહિતી એકત્ર કરી રહી છે. આ અંગે ભારતનાં સેન્ટર ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાનાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ આપેલી ચેતવણીની અમને જાણ છે તેમ છતાં આ દવાઓ સામે કોઇ કાર્યવાહી કરતાં પહેલા તેના પરનાં વધુ ડેટાની રાહ જોઇશું. એફડીએએ એક સામાન્ય એલર્ટ આપ્યું છે અને અત્યંત ગંભીર નથી તેમ છતાં દર્દીઓએ દવા જાતે અને વધુ પડતો સમય સતત ન લેવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.