સરકારે કરેલાં 10 બેંકોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો નારાજ થયા હતા. તેમણે 2 દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું. જોકે નાણા સચિવ સાથે વાતચીત બાદ 26-27 સપ્ટેમ્બરની બેંક હડતાળ મોકૂફ રાખી છે.
સરકારે કરેલા 10 બેંકોના વિલીનીકરણને લઇને બેંકિંગ સેક્ટરમાં ટ્રેડ યૂનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરાયું હતું. 4 ટ્રેડ યૂનિયન સંગઠનોએ 25 સપ્ટેમ્બરની અડધી રાત્રીથી 27 સપ્ટેમ્બરની અડધી રાત્રી સુધીની હડતાળનું એલાન કર્યું હતું. જો કે હવે આ 25 સપ્ટેમ્બરથી શરૂ થનારી બેંકોની હડતાળ ટળી છે. નાણા સચિવ સાથે વાતચીત બાદ 4 યૂનિયને પીછે હટ કરી છે.
તેથી હવે 4 દિવસ બેંક બંધ નહીં રહે. માત્ર 2 દિવસ (ચોથો શનિવાર-રવિવાર) ની રજા હોવાના કારણે 2 દિવસ બેંક બંધ રહેશે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ બેંક પર કામગીરી શરૂ રહેશે.
ઉલ્લેખનીય છે કે બેંકિંગ સેક્ટરને બૂસ્ટ આપવા માટે છેલ્લા કેટલાક દિવસોથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એકસાથે 10 બેંકોના વિલીનીકરણનું એલાન કર્યું હતું. આ વિલય બાદ 4 નવી બેંક અસ્તિત્વમાં આવશે. એટલે કે 6 બેંકો અન્ય બેંકમાં મર્જ થશે.