બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શેખ હસીનાના ભારતમાં રહેવા પર બાંગ્લાદેશની અંતરિમ સરકારે તોડ્યું મૌન, જાણો સંબંધો પર કેવી અસર થશે?
Last Updated: 08:46 AM, 13 August 2024
બાંગ્લાદેશની વચગાળાની સરકારના એક ટોચના સલાહકારે સોમવારે કહ્યું કે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના ભારતમાં રહેવાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને કોઈ અસર થશે નહીં. તેમણે કહ્યું કે ઢાકા હંમેશા નવી દિલ્હી સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો હસીના ભારતમાં વધુ સમય માટે રોકાશે તો શું ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને અસર થશે.
ADVERTISEMENT
આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું, 'આ એક કાલ્પનિક પ્રશ્ન છે. જો કોઈ દેશમાં રહે છે તો તે ચોક્કસ દેશ સાથેના સંબંધોને કેમ અસર થાય? આ માટે કોઈ કારણ નથી.' તૌહીદ હુસૈને ભારપૂર્વક જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધો એક મોટી બાબત છે. વિવાદાસ્પદ જોબ ક્વોટા સિસ્ટમને લઈને પોતાની સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ 76 વર્ષીય શેખ હસીના વડા પ્રધાન પદેથી રાજીનામું આપીને ભારત ભાગી જવા મજબૂર બની હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને કહ્યું, 'દ્વિપક્ષીય સંબંધો બંને પક્ષોના હિત પર નિર્ભર કરે છે. મિત્રતા પણ બે વ્યક્તિઓ વચ્ચેનો હિતનો સંબંધ છે. જો હિતોને નુકસાન થાય છે, તો મિત્રતા ખતમ થઈ જાય છે.'
બાંગ્લાદેશ હંમેશા ભારત સાથે સારા સંબંધો ઇચ્છશે: તૌહીદ હુસૈન
ADVERTISEMENT
તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં બંને પક્ષોના હિત નિહિત છે અને તેઓ પોતપોતાના હિતોનું રક્ષણ કરશે. તૌહીદ હુસૈને કહ્યું કે બાંગ્લાદેશ હંમેશા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરશે. અગાઉ, તેમણે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર પ્રણય વર્મા સહિત ઢાકામાં તૈનાત ભારતીય રાજદ્વારીઓને તેમના દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી આપી અને તેમનો સહયોગ માંગ્યો. હુસૈને ભારતીય રાજદ્વારીઓને કહ્યું, 'અમારું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમારા તમામ મિત્રો અને ભાગીદાર દેશો વચગાળાની સરકાર અને અમારા લોકોની સાથે ઊભા રહેશે. કારણ કે અમે બાંગ્લાદેશ માટે નવા ભવિષ્યની યોજના બનાવી રહ્યા છીએ.'

ADVERTISEMENT
બધા દેશો સાથે સારા સંબંધ જાળવી રાખવા અમારી નીતિ: હુસૈન
હુસૈને એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈપણ દેશ સાથે કોઈ પ્રતિબદ્ધતાઓ છોડી રહ્યા નથી, કારણ કે તે પ્રતિબદ્ધતાઓ કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયમાં તૌહીદ હુસૈનની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમને પત્રકારોએ શેખ હસીનાની બાંગ્લાદેશ પરત ફરવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું. તેમણે જવાબ આપ્યો કે આ મામલો કાયદા મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવે છે અને જ્યારે કાયદો મંત્રાલય આવી વિનંતી કરશે ત્યારે જ મારી ઓફિસ જવાબ આપશે. તૌહીદ હુસૈને કહ્યું, 'અમારી નીતિ અમારા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરતા સારા સંબંધ જાળવી રાખવાની છે.'
ADVERTISEMENT
આ પણ વાંચો: રશિયા યુદ્ધ હારી રહ્યું છે! યુક્રેને દુશ્મનના 1 હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર કર્યો કબજો, દુનિયા સ્તબ્ધ
ઢાકા-દિલ્હી સંબંધોને યોગ્ય દિશામાં આગળ લઈ જવા માંગીએ છીએ: હુસૈન
ADVERTISEMENT
ભારતમાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા તૌહીદ હુસૈને કહ્યું, 'અમે ભારત અને ચીન સહિત તમામ સાથે સુગમ અને સકારાત્મક સંબંધો જાળવવાનો ઈરાદો ધરાવીએ છીએ.' ભારત પ્રત્યે વચગાળાની સરકારના અભિગમ વિશે પૂછવામાં આવતા હુસૈને કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત અને ગાઢ સંબંધ છે. રાજદ્વારી અને ભૂતપૂર્વ વિદેશ સચિવ તરીકે સેવા આપી ચૂકેલા હુસૈને કહ્યું, 'લોકોને એ સમજવું જરૂરી છે કે ભારત બાંગ્લાદેશનો સારો મિત્ર છે. અમે આ ઈચ્છીએ છીએ, અમે (ઢાકા-દિલ્હી) સંબંધોને તે દિશામાં આગળ લઈ જવા માંગીએ છીએ.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.