બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 11:15 AM, 10 July 2023
મહારાષ્ટ્રનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલ ગજગ્રાહ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અજિત પવાર અને શરદ પવાર જૂથમાં ધારાસભ્યોનું 'આયારામ-ગયારામ' ચાલુ છે. હવે વધુ એક ધારાસભ્ય અજિત પવારના જૂથમાંથી વરિષ્ઠ પવારના જૂથમાં પાછા ફર્યા છે. માર્કંડ જાધવ પાટીલ ત્રીજા ધારાસભ્ય છે જેમણે એક અઠવાડિયામાં અજિત પવારનો પક્ષ છોડી દીધો છે. તેમના પહેલા રામરાજે નાઈક-નિમ્બાલકર અને દીપક ચવ્હાણ ભત્રીજાના જૂથમાંથી કાકા કેમ્પમાં પાછા ફર્યા છે.
5 દિવસમાં ત્રણ ધારાસભ્યો શરદ પવાર જુથમાં આવ્યા
માર્કંડ જાધવ પાટીલ મહારાષ્ટ્રના સતારા જિલ્લાની Y વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. મકરંદના સેંકડો સમર્થક પણ તેમના માર્ગને અનુસરીને શરદ કેમ્પમાં પાછા ફર્યા છે. જાધવ પહેલાં રામરાજે નાઈક-નિમ્બાલકર અને દીપક ચવ્હાણે શુક્રવારે શરદ પવાર જૂથમાં પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ શરદ પવાર જૂથના કિરણ લમહાતે અજીતના છાવણીમાં આવ્યા છે. કિરણે ત્રીજી વખત પુનરાગમન કર્યું છે અને અજીતના જૂથમાં જોડાયા છે. પહેલા ભત્રીજાના જૂથમાં જોડાયા બે દિવસ પછી કાકાના પક્ષમાં જોડાયા અને પછી ભત્રીજા પાસે પાછા ફર્યા. 2 જુલાઈના રોજ અજીતના શપથ ગ્રહણ પછી કિરણ શરદના જૂથમાં ગયા અને હવે તે અજીતની છાવણીમાં પાછો ફર્યા છે. અજીતના શપથ ગ્રહણ વખતે પણ તેઓ ત્યાં હાજર હતા.
અજિત પવાર પાર્ટીને નિયંત્રિત કરવાની મથામણમાં
અજિત શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા પછી એનસીપી બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ છે અને કાકા-ભત્રીજા વચ્ચે પક્ષના નિયંત્રણ માટે લડાઈ શરૂ થઈ છે. બંને જૂથોએ 5 જુલાઈએ તેમની તાકાત દર્શાવવા માટે બેઠક યોજી હતી.અજિત જૂથની બેઠકમાં 35 થી વધુ ધારાસભ્યોની હાજરીનો દાવો કરવામાં આવ્યો હતો અને 15 ધારાસભ્યો શરદના જૂથમાં પહોંચ્યા હતા. જોકે અજીત દાવો કરી રહ્યા છે કે, તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યો છે. NCP પાસે મહારાષ્ટ્ર કેબિનેટમાં 53 ધારાસભ્યો છે અને અજિત પવારને પાર્ટીને નિયંત્રિત કરવાનો દાવો કરવા માટે 36 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime