પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે કયા કામો ન કરવા તેની વાત કરીશું.
હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સાથે જ અનેક શ્રદ્ધાળુઓ પોતાની રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે. આજે આપણે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે કયા કામો ન કરવા તેની વાત કરીશું. તો આવો જાણીએ એવી 10 બાબતો જેને શ્રાવણ મહિનામાં ખાસ ટાળવી જોઈએ.
- વિજ્ઞાનના આધારે ચોમાસામાં દૂધ પિત્ત વધારે છે અને તે શિવજીના અભિષેકમાં ઉપયોગમાં લેવાય છે તેથી તેનો ઉપયોગ ટાળો.
- લીલા શાકભાજી સાથે ઘાંસ પણ ઉગે છે અને તેમાં જંતુની સંખ્યા વધારે હોય છે તેથી આ શાકનો ઉપયોગ ન કરવો હિતાવહ છે.
- વિજ્ઞાન કહે છે કે રીંગણમાં કીડા વધારે પડે છે અને તે શાસ્ત્રો પ્રમાણે અશુદ્ધ કહેવાય છે માટે તેને શ્રાવણમાં ન વાપરો.
- શ્રાવણ ભક્તિનો મહિનો હોવાથી તેમાં ખરાબ વિચારો કરવાથી દૂર રહેવું અને શક્ય તેટલી વધુ શિવ આરાધના કરો.
- હળદર સ્ત્રી સંબંધિત વસ્તુ છે માટે તેને શિવલિંગ પર ક્યારેય ન ચઢાવો.
- તમારાથી મોટા, સગા, સાથી અને જ્ઞાની લોકોનું અપમાન ન કરવું. તે શિવકૃપાથી તમને દૂર કરે છે.
- સવારે મોડે સુધી સૂવાના બદલે નિત્યક્રમ પતાવીને એકાગ્રતાથી પૂજા કરવી. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
- શ્રાવણ મહિનામાં જીવ હત્યા પાપ ગણાય છે. સાથે જ ચોમાસામાં પાચનક્રિયા મંદ પડે છે. તેથી માંસાહારના સેવનને ટાળો.
- કહેવાય છે કે જે ઘરમાં શાંતિ અને આનંદ હોય છે ત્યાં પરમેશ્વર વાસ કરે છે. માટે પતિ પત્નીએ ઘરમાં કંકાસ કરવો નહીં. આમ કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે.
- ગુસ્સો માણસની સમજવાની અને વિચારવાની શક્તિને ખતમ કરી દે છે. શિવકૃપા મેળવવા માટે મનને શાંત રાખો અને પૂજા કરો.