બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / attack on delhi cm arvind kejriwal house

BIG BREAKING / CM કેજરીવાલનાં ઘર પર હુમલો : CCTV કેમેરા અને સિક્યોરિટી બેરિયરને તોડી પડાયા

Dhruv

Last Updated: 02:18 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં CCTV કેમેરા અને સિક્યોરિટી બેરિયરને તોડી પડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો
  • ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આપી જાણકારી
  • મનીષ સિસોદિયાએ ભાજપ પર લગાવ્યો ગંભીર આક્ષેપ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યાં છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'કેટલાંક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો છે અને સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી બેરિયરને પણ તોડી નાંખ્યા છે. આ ઉપરાંત ગેટ પરના બૂમ બેરિયર્સ પણ તૂટી ગયા છે.'


મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે, "અસામાજિક તત્વોએ અરવિંદ કેજરીવાલના ઘર પર તોડફોડ કરી છે". એટલું જ નહીં, તેમણે કહ્યું કે, 'ભાજપની પોલીસ તેમને રોકવાને બદલે તેમને દરવાજા સુધી લઇને આવી હતી.'

70 કાર્યકરોની અટકાયત

પોલીસના જણાવ્યાં અનુસાર, ભાજપ યુવા મોરચાના લગભગ 150થી 200 કાર્યકરોએ સવારનાં 11:30 વાગ્યે સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે આ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાંક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચ્યા હતાં. તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતાં. જો કે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોની અટકાયત કરી લીધી હતી. આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

AAPએ ભાજપ પર લગાવ્યાં ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો છે અને તોડફોડ કરી છે. વાસ્તવમાં ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યાં હતાં. ભાજપનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલે કશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ