દિવસનો દરેક વાર કોઈના કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે અને આ વિશેષ વારમાં દરેક સમસ્યા માટે અમુક ઉપાય હોય છે, જેને કરવાથી અવશ્ય લાભ મળે છે. ગુરૂવારનો દિવસ દેવગુરૂ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસનાનો હોય છે.
નોકરી-વેપારમાં પ્રગતિ કરવી છે?
ગુરૂવારે કરો દેવગુરૂ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજા
લગ્નમાં આવતી અડચણો થશે દૂર
ગુરૂવારે ભગવાન વિષ્ણુની કરો ઉપાસના
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ દોષના પ્રભાવને ઘટાડવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાયમાં કેટલાંક ઉપાય ખૂબ અસરકારક હોય છે. ગુરૂવાર દેવગુરૂ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસનાનો હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના પૂજા પાઠ અને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા ઉપાયોને કરવાથી કુંડળીમાં રહેલ ગ્રહ દોષમાંથી મુક્તિ મળી જાય છે.
ગુરૂ મજબૂત થતા થાય છે આ લાભ
જે લોકોની કુંડળીમાં દેવગુરૂ બૃહસ્પતિ મજબૂત હોય છે તેમને જીવનમાં સુખ-સમૃદ્ધી, ધન લાભ અને ભાગ્યનો સારો સાથ મળે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂ બૃહસ્પતિને ધન અને સુખનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરૂની કૃપાથી બધા કાર્યોમાં જલ્દી સફળતા મળે છે અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. આ સિવાય ગુરૂ મજબૂત થતા વ્યક્તિ નોકરીમાં સારું પદ અને વેપારમાં સારો નફો કમાવવામાં સફળ રહે છે.
નોકરી અને વેપારમાં લાભ માટે ગુરૂવારે કરો આ ઉપાય
કુંડળીમાં ગુરૂના શુભ પ્રભાવને વધારવા માટે ગુરૂવારના દિવસે પીળા કપડા પહેરીને કેળના ઝાડની પૂજા કરવી શુભ રહે છે. ગુરૂવારે કેળના ઝાડની પૂજા કરીને ગોળ અને દેશી ઘીના દીવા પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વધારો થાય છે.
જ્યોતિષમાં હળદરને ખૂબ શુભ અને પવિત્ર વસ્તુ માનવામાં આવી છે. નોકરી અને વેપારમાં પ્રગતિ માટે ગુરૂવારના દિવસે પૂજામાં હળદરના ગાંઠની પૂજા કરીને તેને પોતાના કાર્યસ્થળ પર રાખો. આ ઉપાયથી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં આવતી અડચણો પૂર્ણ થતા ધનલાભ અને પ્રગતિના રસ્તા સ્પષ્ટ થાય છે.
ગુરૂવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા અર્ચના કરવાની સાથે ભગવાન વિષ્ણુને કેળનો ભોગ, પીળા ફૂલ, ચણાની દાળ અને ગોળ ધરાવો. આ ઉપાયથી ધીરે-ધીરે જીવનમાં સુખ-સમૃદ્ધી અને ધનમાં વૃદ્ધી થાય છે.
નોકરીમાં પ્રમોશન અને વેતનમાં વધારા માટે ગુરૂવારે પીળા રંગના કપડામાં પીળા ફૂલ, હળદર અને મીઠાને બાંધીને કોઈ મંદિરની સીડીઓ પર મુકી દો. આ ઉપાયથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઉન્નતિના રસ્તા ખુલી જાય છે.