બ્રેકિંગ ન્યુઝ
સેટેલાઇટ અભ્યાસ જણાવે છે કે સપ્ટેમ્બર દરમિયાન જ્યારે આર્કટિક મહાસાગરમાં સૌથી ઓછો બરફ હોય છે. તેમાં પ્રતિ દશક ૧૩ ટકાનો ઘટાડો જોવા મળે છે. આ ક્રમ ૧૯૮૯થી ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
ગ્લોબલ વોર્મિંગના આંકડા પર ભરોસો કરનાર વિજ્ઞાની ઘણા દાયકાથી આર્કટિકનો બરફ પીગળવાને લઇને ભવિષ્યવાણી કરે છે, પરંતુ નેચર ક્લાયમેટ ચેન્જ નામના મેગેઝિનમાં પ્રકાશિત અભ્યાસ મુજબ વિજ્ઞાની આ વાતે સંમત નથી. કેટલાક વિજ્ઞાનીનું માનવું છે કે ૨૦૨૬ સુધી સપ્ટેમ્બરના મહિનામાં આર્કટિક મહાસાગરમાં બિલકુલ બરફ નહીં રહે. કેટલાકનું કહેવું છે કે આ સ્થિતિ ૨૦૧૩૨ સુધી આવશે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક ચેડ ઠાકરેનું કહેવું છે કે આઇસ-સી એલ્બેડો ફીડબેકને સમજવામાં થતી ભૂલના કારણે મહાસાગરમાં જામેલો બરફ પીગળી જાય છે અને અલગ અલગ વિચાર સામે આવી રહ્યા છે. આ પ્રક્રિયા ત્યારે થાય છે જ્યારે મહાસાગરમાં જામેલા બરફનો એક ટુકડો સંપૂર્ણ પીગળી જાય છે. જેના કારણે સમુદ્રની જળસપાટી સૂર્યના સીધા સંપર્કમાં આવે છે અને વધુ માત્રામાં પ્રકાશ અવશોષિત કરવા લાગે છે.
ADVERTISEMENT
સંશોધકોએ કહ્યું કે સૂર્યના પ્રકાશની પરાવર્તનશીલતા કે એલ્બેડોમાં પરિવર્તનથી સ્થાનીય વોર્મિંગ વધુ થાય છે અને બરફ પીગળવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.