બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ankleshwar: localities complaints against Mohan Gupta who allegedly built the house and built ram mandir with PM CM statue

VTV વિશેષ / ગેરકાયદેસર બાંધકામ છુપાવવા ઘર પર રામજી મંદિર બનાવ્યું, પડખે PM મોદી અને CM યોગીની પ્રતિમા મૂકી, અંકલેશ્વરનો કિસ્સો

Vaidehi

Last Updated: 06:08 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Special: બાંધકામની મંજૂરી ન હોવા છતાં અંકલેશ્વરમાં ભગવાન રામજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. અને આ બાંધકામ દૂર ન થાય તે હેતુથી બાંધકામની ઉપર PM અને CMની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી.

  • અંકલેશ્વરમાં બાંધકામની મંજૂરી વિના થયેલ બાંધકામ પર પ્રતિમાઓની સ્થાપના કરાઈ
  • ભગવાન રામ સહિત પ્રધાનમંત્રી મોદી અને CM યોગીની પ્રતિમાનું સ્થાપન
  • સ્થાનિકોમાં આ અંગે રોષનો માહોલ, દાદાગીરી કરી હોવાનો આક્ષેપ
  • જ્યારે બાંધકામ કરનારા મોહન ગુપ્તાએ બાંધકામ અંગે સ્પષ્ટતા કરી

 

અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જે ખુશીમાં અંકલેશ્વરની એક સોસાયટીમાં બાંધકામની મંજૂરી વિના કરાયેલ બાંધકામના અગાસીના ભાગે રામજીની સ્થાપના સાથે PM અને CMની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જેથી સમગ્ર મુદ્દો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. આ ઘટનાને ભક્તિ કહેવાય કે શક્તિ તેવા સવાલો વચ્ચે હાલ મુદ્દો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નવા બાંધકામની ઉપર જ શા માટે રામજીની સ્થાપના થઈ ?
અંકલેશ્વર પંથકના ગડખોલ ગામે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી આવેલી છે જેમાં જૂનું બાંધકામ દૂર કરી નવું શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બનાવવામાં આવ્યું હોવાનો વિવાદ સરકારી કચેરીમાં ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે જે બાંધકામ કરાયું છે તેની મંજૂરી બૌડા વિભાગમાંથી લેવામાં આવી નથી. જેથી ફરિયાદીએ આ અંગે ફરિયાદ કરી છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર ન થાય, સીલ ન થઈ જાય, તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે અનોખો ખેલ કર્યો હોય તેવી ચોક આવનારી ઘટના સામે આવી છે.  આરોપ અનુસાર મિલકત ધારકે અગાસી પર રામજીની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમા લગાડી છે.

લોકોનો આક્ષેપ છે કે મકાન માલિકે અગાસી ઉપર જ રામજી અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરી જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરાયું છે ત્યાં આગળ પણ મોટો ખુલ્લો પ્લોટ છે તેમાં પણ કરી શકાય છે.  જેને લઈને આખરે બાંધકામની અગાસી ઉપર જ રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીજીની સ્થાપના કેમ કરવામાં આવી તેવા સવાલો ઉદભવ્યાં છે.

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની પ્રતિમા મુકવા પાછળ શું કારણ?
મીડિયાએ આ સવાલોનાં જવાબ મેળવવા માટે આ બાંધકામની મંજૂરી નથી તેવી ફરિયાદ કરનાર અરજદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અરજદારે કહ્યું કે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરી શકાય નહીં અને બાંધકામની મંજૂરી પણ નથી અને આ બાબતની ફરિયાદ પણ કરવામાં આવી છે. બાંધકામની મંજૂરી ન હોવાના કારણે તથા બાંધકામ દૂર કરવામાં ન આવે તે હેતુથી રામજી મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોવાનો આરોપ અરજદારે કર્યો છે.

ફરિયાદો દ્વારા કરવામાં આવેલી અરજી

તંત્ર પાસે પણ જવાબ નથી?
સમગ્ર મામલાની તથ્યતા જાણવા માટે ભરૂચ અંકલેશ્વર બૌડા વિભાગનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં અધિકારીઓએ કહ્યું કે આ વાત હજુ અમારી પાસે હમણાં ધ્યાનમાં આવી છે. તેથી આ બાબતે સ્થળનું નિરીક્ષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ હાલ મીડિયા સમક્ષ સત્તાવાર કોઈ માહિતી આપી શકાય તેમ નથી..

વધુ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં ગુજરાતનું વાતાવરણ વેરવિખેર, જાણી લો હવામાનની મેજર અપડેટવાળી આગાહી

બાંધકામ કરનારા મોહન ગુપ્તાએ આપ્યું નિવેદન
જ્યારે બાંધકામ કરનારા મોહન ગુપ્તાએ કહ્યું કે "500 વર્ષ બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યામાં આવ્યાં છે...એ ખુશીમાં મેં મારી છતની ઉપર એક મંદિર બનાવ્યું છે. આ સાથે જ મેં CM-PMની મૂર્તિ લગાડી છે કારણકે તેમના લીધે જ પ્રભુ શ્રીરામ મહેલમાં આવ્યાં છે તેથી મેં તેમની મૂર્તિ લગાડી છે. "વિવાદ મામલે કહ્યું કે, " જમીન મારી છે- મારા પત્નીનાં નામે છે- મકાન મારું છે તેથી મેં મંદિર બનાવ્યું છે. કેટલાક લોકો મારી પાસે પૈસા માંગવા આવ્યાં હતાં જેની મેં ના પાડી જેથી તેમણે આ રીતે ફરિયાદ કરી છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ