બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની કેનેડાની નાગરિકતાને લઇને વારંવાર લોકોના નિશાને આવી જાય છે. હવે એક વખત ફરીથી અક્ષયે તેના પર મોટુ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તેમણે ફરીથી ભારતની નાગરિકતા માટે અરજી કરી છે. આની પહેલા તેમણે 2019માં તેના માટે ટ્રાય કર્યો હતો.
આની પહેલા તેમણે 2019માં તેના માટે પ્રયાસ કર્યો હતો
અક્ષય કુમારે ફરીથી ભારતની નાગરિકતા માટે અરજી કરી
પોતાની કેનેડાની નાગરિકતાને લઇને અવાર-નવાર ટીકાનો સામનો કરનારા અક્ષય કુમાર એક વખત ફરીથી આ મામલે જોડાયા છે. અક્ષયને વારંવાર તેમની નાગરિકતાને લઇને છેડવામાં આવે છે, આ સાથે તેમની પર દેશના નાગરિક હોવા પર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. હવે અક્ષય કુમારનુ કહેવુ છે કે ભારત તેમના માટે બધુ છે અને તેઓ પહેલા જ પાસપોર્ટમાં ફેરફાર માટે અરજી કરી ચૂક્યા છે. અક્ષયે હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમને ખોટુ લાગે છે, જ્યારે લોકો તેમની કેનેડાની નાગરિકતા લેવાનુ કારણ જાણ્યા વગર તેમને કહે છે.
'ભારત જ મારા માટે બધુ છે': અક્ષય કુમાર
અક્ષય કુમારે કહ્યું છે, 'ભારત મારા માટે બધુ છે.... મેં જે કઈ પણ કમાવ્યું છે, જે કઈ પણ મેળવ્યું છે, અહીંથી મેળવ્યું છે અને હું સૌભાગ્યશાળી છું કે મને પાછી આપવાની તક મળી છે. તમને ખરાબ ત્યારે લાગે છે, જ્યારે લોકો કઈ પણ જાણ્યા વગર કઈ પણ કહે છે...'
ફિલ્મો ન મળતા દેશ છોડવાના હતા અક્ષય
હેરાફેરી, નમસ્તે લંડન, ટૉયલેટ: એક પ્રેમ કથા અને પેડમેન જેવી ફિલ્મો માટે ઓળખાતા અક્ષયે પોતાની કારકિર્દીના એ સમય અંગે પણ જણાવ્યું જ્યારે તેમણે 15થી વધુ ફ્લોપ ફિલ્મો આપી દીધી હતી. આ 1990ના દાયકામાં હતુ. તેમણે કહ્યું કે તેમની ફિલ્મોના ખરાબ બૉક્સ ઑફિસ પ્રદર્શને તેમને કેનેડાની નાગરિકતા માટે અરજી કરવા માટે પ્રેરિત કર્યો.
મિત્રની પાસે કેનેડા જતા રહ્યાં અક્ષય
અક્ષયે કહ્યું, મેં વિચાર્યુ કે ભાઈ, મારી ફિલ્મો ચાલતી નથી અને મારે કામ કરવુ છે. હું ત્યાં કામ માટે ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેમણે કહ્યું, 'અહીં આવો.' મેં અરજી કરી અને હું જતો રહ્યો.