બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો વાડજ ફ્લાયઓવર 15 સપ્ટેમ્બરથી ખુલ્લો થશે, ₹107.86 કરોડના પ્રોજેક્ટથી ટ્રાફિકને મળશે મોટી રાહત
Last Updated: 03:12 PM, 14 August 2026
₹107.86 કરોડના વાડજ જંક્શન ફ્લાયઓવરનું કામ શરૂ થયાનાં લગભગ ત્રણ વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હવે આ ફ્લાયઓવર ૧૫ સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારીમાં છે. ફ્લાયઓવર પર લોડ-બેરિંગ ટેસ્ટ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ચાર માર્ગીય આ ફ્લાયઓવર અને તેની સાથેના અંડરપાસ પ્રોજેક્ટનું કામ જુલાઈ-૨૦૨૩માં શરૂ થયું હતું અને મૂળ તેને નવેમ્બર-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. ૭૬૫ મીટર લાંબો ફ્લાયઓવર વાડજ અને રાણીપ જંક્શનને જોડશે. તે ગાંધી આશ્રમથી રામદેવપીર ટેકરા વચ્ચેના માર્ગ પરનો ટ્રાફિક હળવો કરવામાં મદદરૂપ થશે. ફ્લાયઓવર શરૂ થયા બાદ વાહનચાલકોને માર્ગમાં આવતા ત્રણ ટ્રાફિક સિગ્નલ પરથી પસાર થવાની જરૂર નહીં રહે, જેના કારણે મુસાફરીનો સમય ઘટવાની શક્યતા છે.
ADVERTISEMENT
પ્રોજેક્ટમાં અંડર-સ્પેસ પાર્કિંગ, ગ્રીન પેચ, ટ્રાફિક આઇલેન્ડ અને જંક્શન ચેનલાઇઝેશન જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના જાણકારોના મતે માત્ર ફ્લાયઓવરથી જ ટ્રાફિકની સમસ્યા સંપૂર્ણપણે હલ થશે એવું જરૂરી નથી. જો ટ્રાફિકના મૂળભૂત પ્રશ્નો યથાવત્ રહેશે તો તેની અસર મર્યાદિત રહી શકે છે. તેમ છતાં નવા ફ્લાયઓવરથી ત્રણ સિગ્નલ બાયપાસ થઈ શકશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
ADVERTISEMENT
આશ્રમરોડ અમદાવાદના વ્યસ્ત વ્યાપારી માર્ગોમાંનો એક છે. આ માર્ગ પર ઓફિસો, શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓ તથા મહત્ત્વની સરકારી કચેરીઓ આવેલી હોવાથી અહીં સતત ભારે ટ્રાફિક રહે છે. ફ્લાયઓવર શરૂ થયા બાદ આ વિસ્તારમાં વાહનવ્યવહારને મોટી રાહત મળવાની અપેક્ષા છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.