બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ગરબાના મોટા આયોજકોમાં દોડધામ, તંત્રએ હાથ કર્યા અધ્ધર
Last Updated: 11:43 AM, 3 October 2024
અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ ગાઈડ લાઈન પ્રમાણે તમામ તૈયારીઓ કરી છે. તેમજ ફાયર એનઓસી અને લોકલ મંજૂરી મળી ગઈ છે. પરંતું પોલીસ કમિશ્નર ઓફીસથી મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.
ADVERTISEMENT

પોલીસ કમિશનર ઓફિસથી મંજૂરી બાકી: ગરબા આયોજક
ADVERTISEMENT
આ બાબતે માંગલ્ય પાર્ટી પ્લોટનાં ગરબા આયોજક મનોજભાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગરબાને લઈ જે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. તે ગાઈડ લાઈન પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લોકલ લેવલે પરમીશન મળી ગઈ છે. જ્યારે પોલીસ કમિશ્નરની પરમીશન આજ બપોર સુધી આવી જશે. તેમજ એવું લાગે છે કે સરકાર આયોજક અને આયોજન કરનારને હેરાન નહી કરે અને ખેલૈયાઓ તેમની મોજમાં મોજ કરી શકે તે રીતની આશા હું જરૂરથી રાખું છું.

ADVERTISEMENT
29માંથી 9 ગરબા આયોજકોની અરજી મંજૂર થઈ
વડોદરામાં પણ 29 ગરબા આયોજકોએ ફાયર બ્રિગેડ પાસે મંજૂરી માંગી છે. 29 માંથી 9 ગરબા આયોજકોની અરજી મંજૂર થઈ છે. જ્યારે 20 આયોજકોને બપોરે 12 વાગ્યા સુધી જરૂરી દસ્તાવેજ જમા કરાવવા અલ્ટીમેટમ અપાયું છે. તેમજ વડોદરામાં કુલ 60 મોટા ગરબાનું આયોજન થયું છે. હજુ શહેર પોલીસની પરવાનગી મળી છે કે કેમ તેને લઈ અસમંજસ સ્થિતિ સર્જાઈ છે. 26 જેટલા કોમર્શિયલ ગરબા જ્યારે 44 જેટલા મોટા ગરબાનું આયોજન થયું છે.
ADVERTISEMENT

30 જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજકોને નથી મળી મંજૂરી
ADVERTISEMENT
રાજકોટમાં શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. 30 જેટલા અર્વાચીન રાસોત્સવનાં આયોજકોને હજુ મંજૂરી મળી નથી. એક પણ આયોજકોને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. ગઈકાલે મોટાભાગનાં આયોજકો દ્વારા લાઈસન્સ વિભાગમાં અરજી કરવામાં આવી છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતી હોવાનાં કારણે ઉચ્ચ અધિકારીઓ રજા ઉપર હતા. આજે બપોર સુધીમાં તેમજ સાંજ સુધીમાં મોટો ભાગનાં આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતા છે. અગ્રિકાંડ બાદ ફાયર વિભાગ તેમજ પોલીસ દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT
વધુ વાંચોઃ નવલા નોરતાના પ્રથમ દિવસે શકિતપીઠોમાં માનવ મહેરામણ, અંબાજી, પાવાગઢ હકડે ઠાઠ

અગાસી પર ઊભા કરાયેલા ડોમ નીતિ નિયમોનું વિરુદ્ધ
રાજકોટમાં સ્કૂલ-કોલેજ-હોસ્પિટલમાં ઉભા કરાયેલા ડોમને NOC નહી મળે. 140 જેટલી સ્કૂલ, કોલેજ તેમજ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ડોમને NOC મળશે નહી. અગાસી પર ઊભા કરાયેલા ડોમ નીતિ નિયમો વિરૂદ્ધ છે. તેમજ ઈમ્પેક્ટ ફી ભરી 140 થી વધુ હોસ્પિટલો, કોલેજો, શાળાઓએ બાંધકામને કાયદેસર કરાવ્યું હતું. ઈમ્પેક્ટનો લાભ લેનાર બાંધકામોને NOC ન આપવાનો મનપા દ્વારા નિર્ણય કરાયો છે. ડોમવાળા બાંધકામોને કોર્પોરેશને ગેરકાયદેસર ગણાવ્યા હતા. ગેરકાયદેસર ડોમને લઈ મનપા દ્વારા કાર્યવાહી કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.