બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / થર્ટી ફર્સ્ટ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, બે મુખ્ય રોડ પર વાહનનોની અવર જવર રહેશે બંધ

નિર્ણય / થર્ટી ફર્સ્ટ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, બે મુખ્ય રોડ પર વાહનનોની અવર જવર રહેશે બંધ

Last Updated: 07:01 PM, 30 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં 31 મી ડિસેમ્બરની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ નવા વર્ષની ઉજવણી નિમિત્તે ટ્રાફીક ન સર્જાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તેમજ વૈકલ્પિર રસ્તો પણ અવર જવર માટે નક્કી કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે જાહેર વ્યવસ્થા જાળવવા ટ્રાફીકના સુચારુ નિયમન તથા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર હુકમ કર્યો છે. અમદાવાદ શહેરમાં તા.૩૧/૧૨/૨૦૨૪ અને તા.૦૧/૦૧/૨૦૨૫ વચ્ચેની રાત્રી દરમિયાન નવા વર્ષની ઉજવણી નિમીતે મોટી જનમેદની ભેગી થતી હોય છે. જેના નિયમન સારૂ નીચે મુજબના વિવિધ પ્રતિબંઘો ફરમાવવામાં આવે છે.

સી.જી.રોડ

સી.જી.રોડના સ્ટેડીયમ સર્કલ થી પંચવટી સુધી ૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવે છે.

વૈકલ્પિક અવર જવરના રૂટ

સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને કલાક ૨૦.૦૦ થી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.

મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડ થી સ્વસ્તીક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને કલાક ૨૦.૦૦ થી સદંતર વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. સી.જી.રોડ ઉપર આવેલ કાયદેસરની બન્ને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે તે પાર્કિંગ વ્યવસ્થા કલાક ૧૮.૦૦ થી બંધ રહેશે.

સિંધુભવન રોડ

ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ ૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૨૦.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

પેસેન્જર વાહનો સવાર કલાક ૮.૦૦ થી રાત્રીના કલાક ૨૨.૦૦ સુધી પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તે પૈકી પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર તા.૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૦૮.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક ૦૩.૦૦ સુધી અવર-જવર કરી શકશે નહી. આ દરમિયાન વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રીંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી.રોડ અને તેના સર્વિસ રોડ પર તા.૩૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૯.૦૦ થી તા.૧/૧/૨૦૨૫ ના કલાક 03:00 સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.

વધુ વાંચોઃ અમદાવાદની ભારત ગ્લોબલ ડેવલપર્સ કંપની પર SEBIની કાર્યવાહી, રોકાણકારોના ફસાયા 100000000000 રૂપિયા

નહેરુનગર સર્કલ થી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે. તેમજ ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનોને આ જાહેરનામું લાગું પડશે નહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

C.G. Road Entry Restriction Ahmedabad Police Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ