બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વકર્યો રોગચાળો, ઝાળા-ઉલટી અને તાવના કેસમાં ધરખમ વધારો

પડકાર / અમદાવાદમાં વકર્યો રોગચાળો, ઝાળા-ઉલટી અને તાવના કેસમાં ધરખમ વધારો

Published By: Vishal Khamar

Last Updated: 03:04 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત બાદ હવે શહેર સામે માત્ર વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા નથી રહી, પરંતુ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ડબલ પડકાર ઊભો થયો છે.

અમદાવાદમાં ચોમાસાની શરૂઆત બાદ હવે શહેર સામે માત્ર વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા નથી રહી, પરંતુ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ડબલ પડકાર ઊભો થયો છે. એક તરફ વરસાદી પાણી ભરાતાં મચ્છરોનાં બ્રીડિંગ સ્પોટ વધી રહ્યાં છે અને ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગોનું જોખમ વધ્યું છે, તો બીજી તરફ પાણીની લાઇનમાં લીકેજ, દૂષિત પાણી અને ગંદકીના કારણે ઝાડા-ઊલટી સહિતના પાણીજન્ય રોગોની ફરિયાદો સામે આવી રહી છે.

અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સામાન્ય તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ઊલટી-ઝાડા અને ડીહાઇડ્રેશન જેવી ફરિયાદો સાથે દર્દીઓ આવી રહ્યા છે. ચોમાસામાં એક જ પ્રકારનાં લક્ષણો અનેક રોગોમાં જોવા મળતાં ડોક્ટરોને જરૂરી તપાસ કરાવવી પડે છે. આ સ્થિતિમાં સૌથી વધુ અસર દર્દીઓની ઓપીડી, તપાસની પ્રક્રિયા અને પરિવારના આરોગ્ય ખર્ચ પર પડી રહી છે. સરકારી હોસ્પિટલમાં ઓછી કિંમતમાં સારવાર મેળવવા માટે દર્દીનો ધસારો છે, જ્યારે ખાનગી દવાખાનામાં ઝડપી કન્સલ્ટેશન માટે આવતા દર્દીની સંખ્યા વધી રહી છે. જે દર્દી સરકારી હોસ્પિટલની લાંબી લાઇન ટાળવા માગે છે, તેઓ નજીકનાં ખાનગી ક્લિનિકનો વિકલ્પ પસંદ કરે છે. સ્થાનિક ખાનગી દવાખાનાંમાં પણ તાવ, ગેસ્ટ્રો અને વાઈરલ ઇન્ફેક્શનની ફરિયાદો સાથે દર્દી આવી રહ્યા છે

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMC દ્વારા બ્રીડિંગ ચેકિંગ, ફોગિંગ અને લાર્વિસાઇડ કામગીરી કરવામાં આવે છે. અગાઉની મ્યુનિસિપલ કામગીરીમાં એક જ સપ્તાહમાં ૭૯૮ જેટલા મચ્છર બ્રીડિંગ સ્પોટ તપાસવામાં આવ્યાં હતાં અને ૫૯૯ યુનિટને દંડ કરવામાં આવ્યો હતો, મચ્છર નિયંત્રણમાં માત્ર જાહેર સ્થળો નહીં, પરંતુ રહેણાક અને વ્યાવસાયિક મિલકતો પણ મહત્ત્વની કડી છે.

બીમારીઃ ઘરનું બજેટ બગાડતી સમસ્યા

સામાન્ય તાવ હોય તો થોડા દિવસમાં સાજા થઈ શકાય, પરંતુ જો તાવ લાંબો ચાલે તો દર્દીને ફરી ડોક્ટર પાસે જવું પડે છે. ટેસ્ટ કરાવવા પડે છે અને જરૂરિયાત મુજબ ફરી તપાસ કરાવવી પડે છે. મધ્યમવર્ગીય પરિવાર માટે પણ ચોમાસાની બીમારી હવે માત્ર આરોગ્ય નહીં, પરંતુ ઘરનું બજેટ બગાડતી સમસ્યા બની શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના મનપસંદ જીમખાના જુગારકાંડમાં મોટી કાર્યવાહી, દરિયાપુર PI અને PSI સસ્પેન્ડ

હાલમાં દર્દીઓમાં સૌથી સામાન્ય ફરિયાદ તાવની છે. તાવ સાથે શરીરમાં દુખાવો, નબળાઈ, માથાનો દુખાવો જેવાં લક્ષણો જોવા મળે ત્યારે દર્દી અને પરિવારજનોમાં ડેન્ગ્યુની ચિંતા ઊભી થાય છે, પરંતુ દરેક તાવ ડેન્ગ્યુ હોય એવું નથી. આ કારણે ડોક્ટરની સલાહ વિના જાતે દવા લેવાને બદલે યોગ્ય તપાસ અને તબીબી સલાહ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad monsoon diseases dengue in Ahmedabad malaria

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ