બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / A cautionary case has come up for girls who go against the family for love marriage

ચેતવણીરૂપ કિસ્સો / સુરતમાં પતિએ ધર્મપરિવર્તન કરાવ્યું, બે મોટા ભાઈઓએ એક વર્ષ સુધી વારંવાર કર્યું દુષ્કર્મ, અંતે ફરી માતા-પિતા પાસે પહોંચી

Malay

Last Updated: 11:11 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં માતા-પિતાની મરજીની વિરુદ્ધમાં જઈને વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર યુવતી સાથે પતિના જ બે ભાઈઓએ વારંવાર દુષ્કર્મ આચતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

  • સુરતમાં પરિણીતા સાથે દુષ્કર્મ
  • પતિના ભાઈઓએ આચર્યું દુષ્કર્મ
  • લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પરિવારની વિરુદ્ધમાં જઈને પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં વિધર્મી યુવક સાથે લગ્ન કરનાર યુવતી દુષ્કર્મનો ભોગ બની છે. ધર્મપરિવર્તન કરાવી પતિના બે મોટા ભાઈઓએ વારંવાર દુષ્કર્મ આચતા પીડિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા, બે જેઠ અને બે જેઠાણીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

માતા-પિતાની મરજી વિરુદ્ધ કર્યા હતા નિકાહ
લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેણે માતા-પિતાની મરજી વિરુદ્ધમાં મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા હતા, જે બાદ યુવક તેને સંયુક્ત કુટુંબમાં સાથે રહેવા તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં બે મહિના સુધી તમામે સારી રીતે રાખી હતી. જે બાદ તેને મંદિરમાં જવાની ના પાડવામાં આવતી હતી. તેમજ પતિએ બળજબરીથી મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને તેને નમાઝ પઢવા દબાણ કરીને સતત માનસિક ત્રાસ આપવાનું શરું કર્યું હતું.

પરિણીતાને આપતા હતા સતત ત્રાસ
પરિવારની વિરુદ્ધમાં જઈને નિકાહ કર્યા હોવાથી પરિણીતાને માતા-પિતા પણ બોલાવતા નહોતા, જેથી આ બાબતનો ફાયદો ઉઠાવીને સાસરિયા પક્ષના લોકો પરિણીતાને સતત ત્રાસ આપતા હતા. બે જેઠાણીઓ ઘરના કામ માટે હેરાન પરેશાન કરતી હતી. આ અંગે પતિને જણાવતી તો પતિ પણ ઢોર માર મારતો હતો.

પતિના 2 ભાઈઓએ વારંવાર આચર્યુ દુષ્કર્મ
જ્યારે પતિ જેલમાં હતો, ત્યારે બે જેઠ આરીફ અને જાવેદ પણ ધાક-ધમકી આપીને શારીરિક છેડતી હતા અને અવાર નવાર પરિણીતાની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરતા હતા. આ મામલે સાસુ-સસરા તથા બંને જેઠાણીઓને વાત કરતા તેઓ કહેતા હતા કે, અમારામાં આ બધુ સામાન્ય છે.

વારંવાર દુષ્કર્મ આચરવાથી પરિણીતાને રહી ગયો હતો ગર્ભ
15 મહિના બાદ પતિ જેલમાંથી છૂટીને આવ્યો અને સમગ્ર હકીકત જણાવી ત્યારે તેણે પણ પરિણીતાની કોઈ વાત માની ન હતી. જે બાદ એકાદ મહિનામાં તે ગર્ભવતી થઈ હતી. આ દરમિયાન પતિએ કહ્યું હતું કે, 'આ બાળક મારું નથી, તું એબોશન કરાવી દે.' જોકે, પરિણીતાએ ઈનકાર કરતા પતિએ માર માર્યો હતો. વારંવારના ત્રાસથી કંટાળી પીડિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાના પતિ, સાસુ-સસરા, 2 જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Surat News cautionary case love marriage પરિણીતા પર દુષ્કર્મ લિંબાયત પોલીસ સુરત ન્યૂઝ Surat Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ