બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / કેન્દ્રીય ગૃહમંત્રીની વિકાસકાર્યોની ભેટ, જ્યોતિ મલ્હોત્રા કેસમાં મોટો વળાંક, જુઓ 8 વાગ્યાના 8 મોટા સમાચાર
Last Updated: 08:01 PM, 18 May 2025
દેશના 16 રાજ્યોમાં આજે આંધી-વરસાદનું એલર્ટ
ADVERTISEMENT
હવામાન વિભાગે રવિવારે 16 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. શનિવારે રાજસ્થાનના 3 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. શ્રીગંગાનગર, બિકાનેર, જેસલમેર અને ચુરુ સહિત ઘણા શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના 5 જિલ્લામાં હીટવેવ અને 14 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન ટાપુઓ અને આંદામાન સમુદ્રના બાકીના ભાગો અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 17, 2025
ADVERTISEMENT
રાજસ્થાન ઘરઆંગણે પસ્ત
નેહાલ વઢેરા અને શશાંક સિંહની સીધી બેટિંગ અને ત્યારબાદ મજબૂત બોલિંગની મદદથી પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યું. IPL 2025 ની 59મી મેચમાં જીત સાથે, પંજાબ કિંગ્સે પ્લેઓફમાં પહોંચવાનો પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે. આ પંજાબ કિંગ્સની 12 મેચમાંથી 8મી જીત છે, ટીમની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ સારા પ્રદર્શન સાથે, પંજાબ હવે 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. પંજાબ 2014 પછી પહેલી વાર પ્લેઓફમાં પહોંચશે. જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા. જવાબમાં, રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ જબરદસ્ત શરૂઆત કરી, પરંતુ તેમ છતાં ટીમ 20 ઓવરમાં ફક્ત 209 રન જ બનાવી શકી.
ADVERTISEMENT

જાફરાબાદના દરિયાકિનારે શંકાસ્પદ બોટ દેખાતા હડકંપ
ADVERTISEMENT
ગુજરાતની દરિયાઈ સીમા સુરક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાફરાબાદ દરિયામાં 22 નોટિકલ માઈલ દૂર 1 શંકાસ્પદ બોટ જોવા મળી હતી. માછીમારોએ બોટ રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ શંકાસ્પદ બોટ ફરાર થઇ ગઇ હતી. માછીમારોએ કોસ્ટગાર્ડને પણ આ ઘટના અંગે જાણ કરી છે. ઘટનાની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ હેલિકૉપટર સાથે દરિયામાં પહોંચ્યું હતું. શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કોસ્ટગાર્ડ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં જાફરાબાદ,ચાંચબંદર, ધારાબંદર, શિયાળબેટ, નવા બંદર સહીત બંદરો પર તમામ બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ શંકાસ્પદ બોટની તપાસ કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી હતી. સાથે સાથે જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ દરિયો નહીં ખેડવાની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રીની વિકાસકાર્યોની ભેટ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે, સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1593 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, 'આજે હું તમારા પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી અને મેયરનો આભાર માનવા આવ્યો છું. ત્રણ લોકસભા વિસ્તારમાં 1600 કરોડનું વિકાસ કાર્યો થયા છે. જેનું એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઈ ગયો છું, જેનાથી 1.5 લાખ વાહનો સિગ્નલ ટ્રાફિક વિના નીકળી શકશે' વધુમાં કહ્યું કે, 'પાકિસ્તાનના 9 સ્થળો પર આતંકવાદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા છે. દેશની મહિલાઓની માથા પરથી સિંદૂર દૂર કરવાવાળા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે'
ADVERTISEMENT

પૂરના પાણીથી થતા નુકસાનને અટકાવવા ગુજરાત સરકારનો માસ્ટર પ્લાન
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લાના વિકાસ માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે. ઘેડ પંથકના ખેેડૂતોની હજારો વીઘા જમીનમાં પુરના પાણી ફરી વળતા તેમને દરવર્ષે મોટુ નુકસાન થાય છે. .ભાદર, ઉબેણ અને ઓજત નદીઓના પુરને કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે.. આ સમસ્યાનો આવનાર સમયમાં ઉકેલ આવશે તેવું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું.. તેમણે કહ્યું કે નુકસાન અટકાવવા માટે સરકાર દ્વારા માસ્ટર પ્લાન્ટ તૈયાર કરાયો છે. 1400 કરોડના ખર્ચે આ પ્લાનને અમલમાં મુકવામાં આવશે. મનસુખ માંડવિયાના હસ્તે 7 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઈ છે. બાલાગામથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રથમ તબક્કાની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે અંતર્ગત ઘેડ વિસ્તારમાંથી પસાર થતી નદીની અંદર ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવશે, અને ઘેડ પંથકના લોકોને પૂરની પરિસ્થિતિમાંથી રાહત મળશે.

જ્યોતિ મલ્હોત્રા કેસમાં સામે આવ્યું ઓડિશા કનેક્શન
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં ફરી એકવખત નવો વળાંક આવ્યો છે. એકમાં દિવસે દિવસે નવી નવી માહિતી સામે આવી રહી છે. ત્યારે ફરી એકવખત જ્યોતિ મલ્હોત્રા સાથે વધુ એક યુટ્યુબરનું નામ પણ સામે આવ્યું છે. હરિયાણાના હિસારમાં પ્રખ્યાત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી જ્યોતિના કિસ્સામાં હવે ઓડિશા કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. ઓડિશાના પુરીની કન્ટેન્ટ ક્રિએટર જ્યોતિ મલ્હોત્રા અને પ્રિયંકા સેનાપતિ વચ્ચે શંકાસ્પદ સંબંધ સામે આવ્યા બાદ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ પુરી પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરી છે. જ્યોતિ સપ્ટેમ્બર 2024 માં પુરીની મુલાકાતે આવી હતી. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો અને પુરી પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ કેસની તપાસ હવે પુરી સુધી પહોંચી ગઈ છે. અહીં બીજી યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ કરવામાં આવી છે.

બેકાબૂ ટ્રકે 12 લોકોને કચડી નાખ્યા
Dungpur Road Accident: રાજસ્થાનના ડુંગરપુરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો છે. લગ્ન સમારંભમાંથી પરત ફરતી વખતે એક જીપને અકસ્માત નડ્યો. ઘટનાસ્થળે પહોચેલા લોકો ઘાયલોને જીપમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ જીપને બહાર કાઢવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બેકાબૂ ટ્રક આવ્યો અને ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સને ટક્કર મારી. તે એક બાઇકને પણ ટક્કર મારીને પલટી ગયો. આ ભીષણ અકસ્માતમાં 4 લોકોના મોત તેમજ 8 લોકો ઘાયલ થયા છે. બધા મૃતકો એક જ પરિવારના છે. ટુ વ્હીલર અને મૃતદેહ લગભગ ચાર કલાક સુધી ટ્રક નીચે દટાયેલા રહ્યા. આ ઘટના ડુંગરપુર જિલ્લાના સાવલા વિસ્તારની છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

આગામી 30મે સુધી રદ રહેશે આ રૂટ પરની ટ્રેનો
રદ થયેલી ટ્રેનોની યાદી: ભારતમાં દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે આ મુસાફરો માટે હજારો ટ્રેનો ચલાવે છે. જો મુસાફરોને લાંબા અંતરની મુસાફરી કરવી પડે તો મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ટ્રેન મુસાફરી દરમિયાન લોકોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પરંતુ ઘણી વખત રેલ્વે અને મુસાફરો માટે સમસ્યાઓ ઉભી થાય છે. રેલ્વે દ્વારા વિવિધ કારણોસર ઘણી ટ્રેનો રદ કરવામાં આવે છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારતીય રેલ્વે સતત તેના નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. આ માટે, રેલ્વે વિવિધ રૂટ પર નવી રેલ્વે લાઇન ઉમેરવાનું કામ ચાલુ રાખે છે. જેના કારણે ઘણી ટ્રેનો ઘણી વખત રદ કરવામાં આવે છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ પૂર્વ રેલ્વેના રાંચી વિભાગમાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાંચી ડિવિઝનમાં ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને જેના કારણે રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરી છે. તેથી ઘણા લોકોના રૂટ બદલાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનો 30 મે સુધી પ્રભાવિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.