બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 50 people were rescued safely from the sea at Dwarka
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. દરિયાકાંઠે સહેલાણીઓને જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટની વચ્ચે દ્વારકાના દરિયામાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

કોસ્ટગાર્ડે 50 લોકોને બચાવ્યા
બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે, દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. આ વચ્ચે દ્વારકાના દરિયામાં ફસાયેલા 50 લોકોને કોસ્ટગાર્ડે બચાવી લીધા છે. વાવાઝોડાના કારણે દરિયામાં ફસાયેલા 50 લોકોને બચાવાયા છે.
ADVERTISEMENT
કોસ્ટગાર્ડે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
દ્વારકાના દરિયામાં ઓઈલ ડ્રિલિંગ કી સિંગોપાર નામના જહાજમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ALH હેલિકોપ્ટર દ્વારા કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના જાબાજ જવાનોએ દરિયામાં ફસાયેલા જહાજમાંથી 50 લોકોને બચાવી લીધા હતા.

ADVERTISEMENT
ગુજરાતમાં NDRF અને SDRF ટીમો ખડેપગે
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે. અત્યાર સુધીમાં દરિયાકાંઠા વિસ્તારના 3 હજાર 243 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર પણ સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.