બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 22nd January Prana Praistha: Do Pooja like this at your home too

અયોધ્યા રામ મંદિર / આજે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા: તમારા ઘરે પણ આ રીતે કરો પૂજા-અર્ચના, પરિવારમાં આવશે સુખ શાંતિ

Sanjay Vibhakar

Last Updated: 08:49 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહી છે. આ દિવસે તમે પણ ઘરમાં આ 7 શુભ કાર્યો કરીને ભગવાન રામની કૃપા મેળવી શકો છો.

  • તમારા ઘરે ભગવાન રામને ખીરનો ભોગ લગાવો
  • આ દિવસે શંખ ફુંકીને ઉજવણી કરો
  • આ દિવસે રામચરિતમાનસનાં બાલકાંડનો પાઠ કરો

જે દિવસની લાખો લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, હવે તે રાહ સમાપ્ત થવામાં થોડા કલાકો બાકી છે. ભગવાન રામનું અયોધ્યા આવવાનું સપનું ટૂંક સમયમાં પૂરું થવાનું છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહી છે. આ દિવસે તમે પણ ઘરમાં આ 7 શુભ કાર્યો કરીને ભગવાન રામની કૃપા મેળવી શકો છો. આ ઉપાયોથી ઘરનું વાતાવરણ સકારાત્મક તો રહેશે જ પરંતુ તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ વધશે.  

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે આ કામ કરો 

ખીરનો ભોગ લગાવો 
22 જાન્યુઆરીનાં દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લો. ઘરની સાફ-સફાઇ કરો. ત્યારબાદ કેસરની ખીર બનાવો. ખીરમાં મખાના અને પંચમેવો જરૂર ઉમેરો. અયોધ્યામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ તમારા ઘરે ભગવાન રામને ખીરનો ભોગ લગાવો. આ પ્રસાદને લોકોમાં પણ વહેચો. 

દીવા પ્રગટાવો 
ઘરની ચારે બાજુ દીવા પ્રગટાવો. ઘરનાં મુખ્ય દરવાજાની બંને બાજુ દીવા પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. 

પીળા ફળોનું દાન કરો
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને બંને એટલા પીળા ફળોનું દાન કરો. ગરમ કપડાનું દાન કરો. તમારા કામથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામ તમારા ઘરે જરૂર આવશે. 

ઘરે શંખ ફુંકવો 
આ દિવસે શંખ ફુંકીને ઉજવણી કરો. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થશે. જો તમારા ઘરે શંખ ન હોય તો તમે ઘંટડી પણ વગાડી શકો છો. 

હળદરવાળું પાણી છાંટવું 
આ દિવસે તમારા ઘરની બહાર હળદરવાળું પાણી છાંટો. ઘરમાં પૂજા-પાઠ અને હવન કરો. પૂજા સમાપ્ત થયા બાદ ઘરની બહાર હળદરવાળું પાણી છાંટો અને ત્યારબાદ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે. 

વાંચવા જેવું: શું તમે જાણો છો દેવું વધવાનું કારણ? આ ચીજવસ્તુઓનો છે મોટો રોલ, આજથી જ ઘરમાં કરો આ ફેરફાર

કપૂરનો ધુમાડો કરવો 
પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે કપૂર અને લોબાનનો ધુમાડો કરો. તેનાથી તમારું ઘર પવિત્ર થશે. સવાર-સાંજ આવું કરવાથી વિશેષ લાભ થશે. 

રામચરિતમાનસનો પાઠ કરો 
આ દિવસે રામચરિતમાનસનાં બાલકાંડનો પાઠ કરો. આ સાથે રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પણ પાઠ કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને દેવીય શક્તિઓ જાગૃત થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Ayodhya ram mandir અયોધ્યા રામ મંદિર ઉપાય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ Ayodhya ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ