ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્ત્વીય વિભાગના વરિષ્ઠ અધિકારી ફઝલે ખલીકે ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભગવાન વિષ્ણુની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે અને તેની પૂજા ઘણા વર્ષો પહેલા કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મંદિર હિન્દુ રાજવી કાળ દરમિયાન 1,300 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન મંદિરના સ્થળની પાસે રક્ષક માટેના છાવણીઓ અને મીનારા પણ મળી આવ્યા છે.
તળાવ પણ મળી આવ્યું
ADVERTISEMENT
નિષ્ણાંતોએ મંદિરની પાસે પાણીનું તળાવ પણ શોધી કાઢ્યું છે. આ તળાવમાં ભક્તો અહીં પૂજા પહેલા સ્નાન કરતા હશા.આ ક્ષેત્રમાં પ્રથમ વખત હિન્દુ શાહી કાળના નિશાન મળ્યાં છે. ખલીકે જણાવ્યું હતું કે સ્વાત જિલ્લો એક હજાર વર્ષ જુનો પુરાતત્ત્વીય સ્થળો છે અને હિંદુ શાહી કાળના નિશાન આ વિસ્તારમાં પ્રથમ વખત મળી આવ્યા છે.
આ ગાંધર સંસ્કૃતિનું પહેલું મંદિર
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આ સ્થાન 850 થી 1026 એડી સુધી હિન્દુ શાહી અથવા કાબુલ શાહી રહ્યું છે. કાબુલ ખીણ (પૂર્વી અફઘાનિસ્તાન), ગાંધાર (આધુનિક પાકિસ્તાન) અને હાલના ઉત્તર પશ્ચિમ ભારતમાં શાસન કરનાર એક હિન્દુ રાજવંશ હતો. ઇટાલીના પુરાતત્ત્વીય મિશનના વડા ડો. લુકાએ જણાવ્યું હતું કે સ્વાત જિલ્લામાં શોધાયેલ આ ગાંધર સંસ્કૃતિનું પહેલું મંદિર હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો