બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચીનના ઓફિશ્યલ રિપોર્ટ મુજબ હાલ ચીનમાં 44,653 કેસ નોંધાયા હતા જેમાં 1,113 લોકોના મોત થઈ ગયા છે અને 4,740 રિકવર થઈ રહ્યા છે જ્યારે 8,204 લોકો સંપૂર્ણ સાજા થઈ ગયા છે.

ADVERTISEMENT
કેટલું છે સસ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ
વુહાનમાં સલ્ફર ડાયોક્સાઈડનું વધુ પ્રમાણ કદાચ મોટી સંખ્યામાં અંતિમક્રિયા કરવામાં આવતી હોય તેના કારણે પણ હોઈ શકે છે. ચેક રિપબ્લિકની વેધર સર્વિસ પૂરી પાડતી વિન્ડી ડોટ કોમમાં રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે વુહાનમાં સ્લફર ડાયોક્સાઈડનું પ્રમાણે 1,350 માઈક્રોગ્રામ પર ક્યુબિક મીટર થયું હતું. જ્યારે યુએસ એન્વાર્યમેન્ટલ પ્રોટેક્શન એન્જસીનું કહેવું છે કે મેડિકલ વેસ્ટને બાળવામાં આવે ત્યારે પણ સલ્ફર ડાયોક્સાઈડ પેદા થાય છે.
ADVERTISEMENT

મૃતકોને એકસાથે અપાઈ રહ્યા છે અગ્નિદાહ
ADVERTISEMENT
ચીન મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે કોરોનાવાયરસના ભોગ બનનારાઓની અંતિમક્રિયા છૂપાવીને કરી રહ્યું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું કે વાયરસના કારણે માર્યા ગયેલા લોકોના મૃતદેહોની તાત્કાલિક અને નજીકમાં જ અંતિમક્રિયા કરી દેવામાં આવી હતી

ADVERTISEMENT
શું છે કારણ?
આટલી મોટી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ બે કારણથી હોઈ શકે છે. શક્ય છે કે ત્યાં ભારે માત્રામાં મેડિકલ વેસ્ટને સળગાવી દેવામાં આવ્યા છે કે પછી ત્યાં માનવના શબ સળગાવી રહ્યા હોય. શબોને સળગાવવા દરમિયાન ભારે માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ નીકળે છે. એવામાં એક અનુમાન મુજબ માત્ર વુહાન શહેરમાં 10 હજારથી વધુ લોકોના શબ સળગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે કોરોનાવાયરસના કારણે વુહાન શહેરને સમગ્રપણે લૉક ડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં લગભગ 10 લાખ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જુઓ ચીનનું લાઈવ સ્ટેટસ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.