1. ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન
- હરિયાણાના કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જનો મામલો
- દેશમાં સરકારી તાલિબાનોએ કબજો કરી લીધો છે: ટિકૈત
- દેશમાં સરકારી તાલિબાનના કમાન્ડર છે: ટિકૈત
- સરકારી તાલિબાન કમાન્ડરની ઓળખ કરવી પડશે: ટિકૈત
- જેમણે લાઠીચાર્જનો આદેશ આપ્યો તે જ તાલિબાની કમાન્ડર છે: ટિકૈત
2. જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓની કમર તૂટી
- 5 ઓગસ્ટ 2019 બાદ કશ્મીરમાં અલગાવવાદીઓની કમર તૂટી
- અલગાવવાદીઓને પોતાનો નેતા પણ નથી મળી રહ્યો
- તહરીક એ હુર્રિયતના ચેરમેન માટે નથી મળી રહ્યો કોઇ નેતા
- તહરીક એ હુર્રિયતના ચેરમેન સેહરઇના નિધન બાદ નથી મળી રહ્યો નવો નેતા
- પાક.ના ઇશારે હવે કોઇપણ અલગાવવાદી નેતા આગળ નથી આવી રહ્યો
- NIA ટેરર ફંડિંગ મામલે સતત દરોડા પાડવાનું કામ કરી રહ્યું છે
- જમ્મુ કાશ્મીરમાંથી 370 હટ્યા બાદ બદલાઇ રહી છે સ્થિતિ
- હુર્રિયત પર પ્રતિબંધ વિના જ તમામ ગતિવિધિઓ ઠપ થઇ ગઇ છે
- NIAના ટેરર ફંડિંગ મામલે અનેક અલગાવવાદીઓની ધરપકડ કરી જેલ મોકલી દેવાયા છે
- 2017થી અનેક હુર્રિયતના નેતાઓ જેલમાં બંધ છે
3. અમદાવાદ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો
- ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જીવલેણ થઈ શકે છે સાબિત
- પહેલી વાર ચિકનગુનિયામાં દર્દીનું મોત થયાનુ આવ્યુ સામે-ડો ભરત ગઢવી
- પોસ્ટ કોવિડ ઇફેક્ટને કારણે ચિકન ગુનિયાના દર્દીઓમાં લંગ્સ ઇન્ફેક્શન-ડો ભરત ગઢવી
- રોગચાળો વકરતા આહનાએ અમદાવાદીઓને કરી અપીલ
- શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા દર્દીઓની સંખ્યામાં વધારો- આહના
- ઘરની આસપાસ રહેલા પાણી સંગ્રહ તેમજ સફાઇ કરવા અપીલ
- સપ્તાહમાં એક વાર રવિવારના રોજ અડધો કલાક કામગીરી કરવા અપીલ
4. કેરળ અને મહારાષ્ટ્રમાં કેસો વધતા રાજ્યના તબીબો ચિંતિત
- અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી
- એ.એમ.એ.ના જોઈન્ટ સેક્રેટરી ડૉ.સાહિલ શાહ નું મોટું નિવેદન
- એ.એમ.એ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે - ડૉ.સાહિલ શાહ
- કેરળ,મહારાષ્ટ્રમાં કેસો વધ્યા તેમાં ક્યો પ્રકાર છે તેનો અભ્યાસ ચાલુ છે - ડૉ.સાહિલ શાહ
- ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વાયરસ ના કારણે કેસો વધ્યા છે - ડૉ.સાહિલ શાહ
- અમે સરકારને પહેલા પણ ચેતવણી આપી છે - ડૉ.સાહિલ શાહ
- તહેવારો ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર - ડૉ.સાહિલ શાહ
- ત્રણ તહેવાર એક પછી એક આવે છે જેથી વધુ ધ્યાન આપવાની જરૂર - ડૉ.સાહિલ શાહ
5. ફરસાણની દુકાનમાં દરોડા પાડતા થયો ખુલાસો
- રાજકોટ આરોગ્ય વિભાગના દરોડામાં ચોંકાવનારો ખુલાસો
- વેપારીઓ ગાંઠિયામાં કપડા ધોવાનો સોડા નાખતા હોવાનો ખુલાસો
- રાજકોટમાં 5 જેટલા વેપારીઓને ત્યાંથી લીધેલા નમૂના શંકાસ્પદ
- દરોડા કરવામાં આવેલા 3 સ્થળેથી કપડા ધોવાનો સોડા મળી આવ્યો
- ખાવાના સોડાની જગ્યાએ કપડા ધોવાનો સોડાનો ગાંઠિયામાં કરાતો હતો ઉપયોગ
- વીર બાલાજી ફરસાણમાંથી 10 કિલો વોશિંગ સોડા કરાયો જપ્ત
- ભગવતી ફરસાણ સ્વીટ માર્ટમાંથી પણ 10 કિલો સોડા કરાયો જપ્ત
- ચામુંડા ફરસાણમાંથી પણ 5 કિલો વોશિંગ સોડા કરાયો જપ્ત