બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 01:18 PM, 13 June 2023
યોગિની એકાદશીનું વ્રત 14 જૂને બુધવારના દિવસે રાખવામાં આવશે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે.
આ એકાદશી દરેક પાપોનું નાશ કરે છે. યોગિની એકાદશીના દિવસે કરવામાં આવેલા અમુક ખાસ ઉપાયોથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ ઉપાયોને કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
યોગિની એકાદશી 2023ના દિવસે કરો આ ઉપાય
પહેરો પીળા વસ્ત્રો
એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી અને પીળા રંગના વસ્ત્ર પહેરો. ત્યાર બાદ વિષ્ણુજીની સાથે ઘનની દેવી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો. આમ કરવાથી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસે છે અને દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે.
ભગવાન વિષ્ણુને અર્પિત કરો પાન
યોગિની એકાદશીના દિવસે એક ડાંડી વાળુ પાન લો. હવે તેના પર કંકુ અને શ્રી લખીને ભગવાન વિષ્ણુને અર્પિત કરો અને તેમની પૂજા કરો. પૂજા પુરી થયા બાદ તેના પાનને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મુકો. આમ કરવાથી જલ્દી નોકરીમાં પ્રમોશન થાય છે. આ ઉપાયથી બિઝનેસમાં નવા અવસરો આવે છે.
નારિયેળ અને બદામનો લગાવો ભોગ
આ એકાદશી પર ભગવાન કૃષ્ણને નારિયેળ અને બદામનો ભાગ લગાવવો પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન દરેક ઈચ્છા પુરી કરે છે.
21 માળા જાપ કરવાથી કષ્ટ થશે દૂર
યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પ્રિય મંત્ર ‘ॐ नमो भगवते वासुदेवाय’ની 21 માળા જાપ કરવાથી જીવનના દરેક કષ્ટ દૂર થવા લાગે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી પણ ખાસ લાભ મળે છે.
આ રીતે માતા લક્ષ્મીનો પણ મેળવો આશીર્વાદ
યોગિની એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો પણ આશીર્વાદ મળે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી.
પીપળામાં હોય છે ભગવાન વિષ્ણુનો વાસ
પીપળાના ઝાડમાં વિષ્ણુ ભગવાનનું નિવાસ માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ લેવા માટે યોગિની એકાદશીના દિવસે પીપળાના ઝાડની નીચે ઘીનો દિવો સળગાવવો જોઈએ.
આ રીતે કરો તિલક
આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ પીળા ચંદન અને કેસરમાં ગુલાબ જળ મિક્ષ કરીને તિલક કરવો જોઈએ. આ તિલકને પોતાના માથા પર લગાવીને કામ પર જાઓ. આમ કરવાથી દરેક કામ પુરૂ થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ