બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 02:47 PM, 26 September 2023
World Second Largest Temple: જો ભારતમાં કોઈ વિશાળ અને ભવ્ય મંદિર બનાવવામાં આવે તો તે કોઈ નવાઈની વાત નથી, પરંતુ જો ભારતની બહાર વિદેશમાં કોઈ એવું મંદિર બનાવવામાં આવે જે ભારતીય ધર્મ ગ્રંથોની પ્રાચીનતા દર્શાવતું હોય તો તે ખરેખર ઘણી મોટી વાત છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારતની બહાર અમેરિકામાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, જે 185 એકરમાં ફેલાયેલું છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં બનાવવામાં આવેલું મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. ચાલો જાણીએ આ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે થશે? આ મંદિર સાથે જોડાયેલી કેટલીક એવી વાતો છે જેને જાણીને તમે પણ દંગ રહી જશો.
8 ઓક્ટોબરે થશે મંદિરનું ઉદ્ધાટન
અમેરિકાના ન્યૂ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ વર્ષ 2015માં શરૂ થયું હતું, જે હવે 2023માં પૂર્ણ થયું છે. આ વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર છે અને તેનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબર 2023ના રોજ થશે. તમને જણાવી દઈએ કે, આ મંદિરનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે.
વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર
અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, જે ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે અને આ સ્વામિનારાયણ અક્ષરધામને 12,500થી વધુ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરનું વિધિવત ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે થશે, પરંતુ તે પહેલા જ હજારો લોકો અહીં દર્શન માટે આવવા લાગ્યા છે.
ભારતમાં તૈયાર કરાઈ છે ડિઝાઈન
દુનિયાનું બીજું સૌથી મોટું મંદિર એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આ મંદિરમાં ભારતનો ઈતિહાસ કોતરવામાં આવ્યો છે. તેમાં ભારતીય સંસ્કૃતિ અને કલાની સાથે ધાર્મિક આસ્થા પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ મંદિરની ડિઝાઇન ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે અને તેમાં વપરાયેલા પથ્થરો યુરોપ અને ભારતથી મોકલવામાં આવ્યા છે.
શું છે મંદિરની ખાસિયત?
આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં લગભગ 10 હજાર દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે ચાર પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં લાઈમ સ્ટોન, પિંક સેંડસ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટનો સમાવેશ થાય છે. આ પથ્થરો આ મંદિરની સુંદરતા વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના ન્યૂ જર્સીમાં બનાવવામાં આવેલા આ મંદિરના પરિસરમાં બ્રહ્મકુડ પણ છે. જેમાં ભારતની પવિત્ર નદીઓ તેમજ અમેરિકાની નદીઓનું પાણી છે.
183 એકરમાં ફેલાયેલું છે મંદિર
અક્ષરધામ તરીકે પ્રખ્યાત આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેને પ્રાચીન હિંદુ ધર્મગ્રંથો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં 10,000 મૂર્તિઓ અને પ્રતિમાઓ, ભારતીય સંગીતના સાધનો અને નૃત્ય સ્વરૂપોની કોતરણી સહિત પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ડિઝાઇન તત્વો સામેલ છે. આ મંદિર બનાવવામાં 12 હજાર કારીગરોએ 12 વર્ષ સુધી મહેનત કરી છે. સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ વર્ષ 2015માં શરૂ થયું હતું, જે હવે 2023માં પૂર્ણ થયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime